News Continuous Bureau | Mumbai
PM Modi Maharashtra: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રને 10 નવી મેડિકલ કોલેજો અને મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ પ્રદાન કરવામાં આવી રહ્યાં છે, જેમાં નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણ તથા શિરડી એરપોર્ટ ( Shirdi Airport ) માટે નવા ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ સામેલ છે. તેમણે મહારાષ્ટ્રની જનતાને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.
રૂ. 30,000 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા માટે મુંબઈ અને થાણેની મુલાકાતને યાદ કરીને પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) ઉલ્લેખ કર્યો હતો કે, અગાઉ વિવિધ જિલ્લાઓમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ, એરપોર્ટનું અપગ્રેડેશન, હાઇવે પ્રોજેક્ટ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૌર ઊર્જા અને ટેક્સટાઇલ પાર્ક્સ જેવા હજારો કરોડનાં મૂલ્યનાં વિકાસલક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખેડૂતો, માછીમારો અને પશુપાલકો માટે નવી પહેલો હાથ ધરવામાં આવી છે, ત્યારે મહારાષ્ટ્રમાં ભારતનાં સૌથી મોટા કન્ટેઇનર બંદરનો શિલાન્યાસ પણ થયો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, “મહારાષ્ટ્રનાં ઇતિહાસમાં ક્યારેય વિવિધ ક્ષેત્રોમાં આટલી ઝડપથી, આટલા મોટા પાયે વિકાસ થયો નથી.”
પ્રધાનમંત્રીએ ( PM Modi Maharashtra ) તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકેની માન્યતાને યાદ કરીને કહ્યું હતું કે, જ્યારે કોઈ ભાષાને ઉચિત સન્માન મળે છે, ત્યારે તે માત્ર શબ્દો જ નહીં, પણ આખી પેઢીને અવાજ મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, કરોડો મરાઠી ભાઈઓનું સપનું આ સાથે પૂર્ણ થયું છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, મહારાષ્ટ્રનાં લોકોએ મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપી છે એ વાતની ઉજવણી કરી હતી. તેમણે ઉમેર્યું કે, તેમને મહારાષ્ટ્રના ગામોના લોકો તરફથી ખુશી અને કૃતજ્ઞતાના સંદેશા મળી રહ્યા છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, મરાઠીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવી એ તેમનું કાર્ય નથી, પણ મહારાષ્ટ્રનાં લોકોનાં આશીર્વાદનું પરિણામ છે. પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ, બાબા સાહેબ આંબેડકર ( Dr. Babasaheb Ambedkar International Airport ) , જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાનુભાવોના આશીર્વાદને કારણે મહારાષ્ટ્રમાં પ્રગતિનાં કાર્યો થઈ રહ્યાં છે એ વાત પર ભાર મૂક્યો હતો.
Speaking at the launch of projects in Maharashtra, which will enhance infrastructure, boost connectivity and empower the youth.https://t.co/ZYiXGdRFDC
— Narendra Modi (@narendramodi) October 9, 2024
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ગઈકાલે હરિયાણા અને જમ્મુ-કાશ્મીર માટે પ્રકાશિત થયેલી વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો તથા હરિયાણાનાં મતદારોએ દેશની જનતાનો મિજાજ સ્પષ્ટપણે છતો કરી દીધો છે. તેમણે ઊમેર્યું કે, બે ટર્મ સફળતાપૂર્વક પુરી થયા બાદ સતત ત્રીજી વખત હરિયાણામાં મળેલી જીત ઐતિહાસિક રહી હતી.
આ સમાચાર પણ વાંચો: Droupadi Murmu AIIA : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના 7મા સ્થાપના દિવસએ આપી હાજરી, જુઓ ફોટોસ.
પ્રધાનમંત્રી મોદીએ વિભાજનકારી રાજકારણ રમનારા અને વ્યક્તિગત લાભ માટે મતદારોને ગેરમાર્ગે દોરનારા લોકો સામે ચેતવણી આપી હતી. તેમણે ભારતમાં મુસ્લિમોમાં ભય પેદા કરવાના અને તેમને વોટબેંકમાં રૂપાંતરિત કરવાના પ્રયત્નો તરફ પણ ધ્યાન દોર્યું હતું અને તેમના ફાયદા માટે હિન્દુ ધર્મમાં જાતિવાદમાં સામેલ લોકો પ્રત્યે અણગમો પણ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ રાજકીય લાભ માટે ભારતમાં હિન્દુ સમાજને તોડવાનો પ્રયાસ કરી રહેલા લોકો સામે ચેતવણી આપી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મહારાષ્ટ્રનાં લોકો સમાજને તોડવાનાં પ્રયાસોને નકારી કાઢશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં સરકારે દેશનાં વિકાસ માટે આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવા ‘મહા યજ્ઞ’ શરૂ કર્યો છે. પ્રધાનમંત્રીએ રાજ્યમાં લાખો લોકોનાં જીવનની ગુણવત્તા સુધારવા માટે 10 નવી મેડિકલ કોલેજોનાં ઉદઘાટનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, “આજે અમે માત્ર ઇમારતોનું નિર્માણ જ નથી કરી રહ્યાં, પણ સ્વસ્થ અને સમૃદ્ધ મહારાષ્ટ્રનો પાયો પણ નાંખ્યો છે.” તેમણે કહ્યું કે થાણે, અંબરનાથ, મુંબઇ, નાસિક, જાલના, બુલઢાણા, હિંગોલી, વાશિમ, અમરાવતી, ભંડારા અને ગડચિરોલી જિલ્લો લાખો લોકો માટે સેવાના કેન્દ્રો બનશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 10 નવી મેડિકલ કોલેજોમાં મહારાષ્ટ્રમાં 900 મેડિકલ બેઠકોનો ઉમેરો થશે, જેનાથી રાજ્યમાં તબીબી બેઠકોની કુલ સંખ્યા વધીને 6,000 થઈ જશે. લાલ કિલ્લા પરથી 75,000 નવી મેડિકલ બેઠકો ઉમેરવાના પોતાના સંકલ્પને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો કાર્યક્રમ આ દિશામાં મોટું પગલું છે.
સરકારે તબીબી શિક્ષણને સરળ બનાવ્યું હોવાનું જણાવતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મહારાષ્ટ્રનાં યુવાનો માટે નવા માર્ગો ખુલ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે, ગરીબ અને મધ્યમ વર્ગનાં કુટુંબોનાં જેટલાં બાળકો ડૉક્ટર બને અને તેમનાં સ્વપ્નો સાકાર થાય. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, એક સમયે આ પ્રકારનાં વિશિષ્ટ અભ્યાસો માટે માતૃભાષામાં પુસ્તકો ઉપલબ્ધ ન હોવાનો મોટો પડકાર હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સરકારે આ ભેદભાવનો અંત આણ્યો છે અને મહારાષ્ટ્રનાં યુવાનો મરાઠી ભાષામાં ચિકિત્સાનો અભ્યાસ કરી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, યુવાનો તેમની માતૃભાષામાં રહીને ડૉક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરશે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકારનાં જીવનને આરામદાયક બનાવવાનો પ્રયાસ ગરીબી સામે લડવાનું મોટું માધ્યમ છે. અગાઉની સરકારોની ગરીબીને તેમની રાજનીતિનું બળતણ બનાવવા બદલ તેમની ઝાટકણી કાઢતાં તેમણે ઉમેર્યું હતું કે, તેમની સરકારે એક દાયકાની અંદર 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યાં છે. દેશમાં સ્વાસ્થ્ય સેવાઓમાં પરિવર્તન વિશે જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, “અત્યારે દરેક ગરીબ વ્યક્તિ પાસે નિઃશુલ્ક તબીબી સારવાર માટે આયુષ્માન કાર્ડ છે.” તેમણે ઉમેર્યું કે તાજેતરમાં 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પણ મફત તબીબી સારવાર મળી રહી છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, જન ઔષધિ કેન્દ્રો પર આવશ્યક દવાઓ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે અને હૃદયરોગનાં દર્દીઓ માટે સ્ટેન્ટ 80-85 ટકા સુધી સસ્તાં કરવામાં આવ્યાં છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે કેન્સરની સારવાર માટે જરૂરી દવાઓની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે. સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સંખ્યામાં વધારો થવાને કારણે તબીબી સારવાર સસ્તી થઈ હોવાનું જણાવતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, “આજે મોદી સરકારે ગરીબમાં ગરીબ વ્યક્તિને સામાજિક સુરક્ષાનું મજબૂત કવચ આપ્યું છે.”
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ કોઈ પણ દેશ પર ત્યારે જ વિશ્વાસ કરે છે, જ્યારે તેની યુવા પેઢી આત્મવિશ્વાસથી ભરેલી હોય. તેમણે નોંધ્યું હતું કે, અત્યારે યુવાન ભારતનો આત્મવિશ્વાસ દેશનાં નવા ભવિષ્યની ગાથા લખી રહ્યો છે. તેમણે એ બાબત પર ભાર મૂક્યો હતો કે, વૈશ્વિક સમુદાય ભારતને માનવ સંસાધન માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર તરીકે જુએ છે, જે સમગ્ર દુનિયામાં શિક્ષણ, હેલ્થકેર અને સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રચૂર તકો ધરાવે છે. ભારતના યુવાનોને આ તકો માટે તૈયાર કરવા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકાર તેમનાં કૌશલ્યોને વૈશ્વિક ધારાધોરણો સાથે સુસંગત કરી રહી છે. પ્રધાનમંત્રીએ શૈક્ષણિક માળખાને આગળ ધપાવવા અને મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સનું ઉદઘાટન કરવાનાં ઉદ્દેશ સાથે વિદ્યા સમિક્ષા કેન્દ્ર સહિત મહારાષ્ટ્રમાં વિવિધ પ્રોજેક્ટ શરૂ કરવાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં બજારની માગ સાથે યુવાન વ્યક્તિઓની પ્રતિભાને સુસંગત કરવા ભવિષ્યલક્ષી તાલીમ પ્રદાન કરવામાં આવશે. વધુમાં શ્રી મોદીએ યુવાનોને પેઇડ ઇન્ટર્નશિપ ઓફર કરવાની સરકારની પહેલ પર પ્રકાશ પાડ્યો હતો, જે ભારતના ઇતિહાસમાં પ્રથમ છે, જેમાં વિદ્યાર્થીઓને તેમની ઇન્ટર્નશિપ દરમિયાન રૂ. 5,000નું સ્ટાઇપેન્ડ મળશે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, હજારો કંપનીઓ આ પહેલનો ભાગ બનવા માટે નોંધણી કરાવી રહી છે, જેથી યુવાન વ્યક્તિઓને મૂલ્યવાન અનુભવ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે અને તેમના માટે નવી તકો ખુલી છે.
આ સમાચાર પણ વાંચો: NMHC Gujarat: કેન્દ્રીય કેબિનેટે ગુજરાતમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)નાં વિકાસને આપી મંજૂરી, આટલા હજાર રોજગારીનું થશે સર્જન
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનાં યુવાનો માટેનાં પ્રયાસોનાં નોંધપાત્ર પરિણામો મળ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતની શૈક્ષણિક સંસ્થાઓ વૈશ્વિક સ્તરે ટોચની સંસ્થાઓની સમકક્ષ ઊભી છે અને તેમણે ગઈકાલે જ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધનની વધતી જતી ગુણવત્તા પર પ્રકાશ પાડ્યો હતો.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, દુનિયાની નજર હવે ભારત પર છે, કારણ કે દેશ પાંચમો સૌથી મોટો અર્થતંત્ર બની ગયો છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, “વૈશ્વિક અર્થતંત્રનું ભવિષ્ય ભારતમાં છે.” આર્થિક પ્રગતિને કારણે ઊભી થયેલી નવી તકોની નોંધ લીધી હતી, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં કે જેની દાયકાઓથી અવગણના કરવામાં આવી હતી. તેમણે પર્યટનનું ઉદાહરણ આપ્યું હતું અને ભૂતકાળમાં ગુમાવેલી તકો તરફ ધ્યાન દોર્યું હતું કે મહારાષ્ટ્રના અમૂલ્ય વારસા, સુંદર કુદરતી સ્થળો અને આધ્યાત્મિક કેન્દ્રોનો સંપૂર્ણ ઉપયોગ કરીને રાજ્યને અબજો ડોલરના અર્થતંત્રમાં વિકસિત કરી શકાય.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાલની સરકારમાં વિકાસ અને વારસા એમ બંને સામેલ છે. ભારતનાં સમૃદ્ધ ભૂતકાળથી પ્રેરિત ઉજ્જવળ ભવિષ્યનાં નિર્માણનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ શિરડી એરપોર્ટ પર નવા ટર્મિનલ, નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને મહારાષ્ટ્રમાં ચાલી રહેલા અન્ય વિકાસલક્ષી પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શિરડી એરપોર્ટ પર નવું ટર્મિનલ સાઇ બાબાનાં ભક્તોને મોટો લાભ આપશે, જેથી દેશ-વિદેશમાંથી વધારે મુલાકાતીઓ આવી શકશે. તેમણે અપગ્રેડેડ સોલાપુર એરપોર્ટનાં ઉદઘાટન વિશે પણ વાત કરી હતી, જે હવે શ્રદ્ધાળુઓ શનિ શિંગણાપુર, તુલજા ભવાની અને કૈલાસ મંદિર જેવા નજીકનાં આધ્યાત્મિક સ્થળોની મુલાકાત લેવા સક્ષમ બનાવશે, જેથી મહારાષ્ટ્રનાં પ્રવાસન અર્થતંત્રને વેગ મળશે અને રોજગારીની તકો ઊભી થશે.
શ્રી મોદીએ કહ્યું હતું કે, “અમારી સરકારનો દરેક નિર્ણય અને દરેક નીતિ માત્ર એક જ ધ્યેયને સમર્પિત છે – વિકસિત ભારત!” તેમણે ઉમેર્યું હતું કે, આ માટે સરકારનું વિઝન ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓનું કલ્યાણ છે. એટલે તેમણે ઉમેર્યું હતું કે, વિકાસનો દરેક પ્રોજેક્ટ ગરીબ ગ્રામજનો, મજૂરો અને ખેડૂતોને સમર્પિત છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિરડી એરપોર્ટ પર નિર્માણ પામેલું અલગ કાર્ગો સંકુલ ખેડૂતોને ઘણી મદદરૂપ થશે, કારણ કે વિવિધ પ્રકારનાં કૃષિ ઉત્પાદનોની નિકાસ દેશ અને વિદેશમાં થઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, શિરડી, લાસલગાંવ, અહલ્યાનગર અને નાસિકના ખેડૂતોને ડુંગળી, દ્રાક્ષ, જામફળ અને દાડમ જેવા ઉત્પાદનોને મોટા બજારમાં સરળતાથી પરિવહન કરવામાં સક્ષમ થવાથી કાર્ગો સંકુલનો લાભ મળશે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકાર સતત ખેડૂતોના હિતમાં જરૂરી પગલાં લઈ રહી છે, જેમ કે બાસમતી ચોખા પરની લઘુતમ નિકાસ કિંમત નાબૂદ કરવી, બિન-બાસમતી ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ દૂર કરવો, ચોખા પરની નિકાસ ડ્યુટીમાં અડધોઅડધ ઘટાડો કરવો. તેમણે ઉમેર્યું હતું કે, સરકારે મહારાષ્ટ્રના ખેડૂતોની આવક વધારવા માટે ડુંગળી પરનો નિકાસ વેરો પણ અડધોઅડધ ઘટાડ્યો છે. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, સરકારે ખાદ્યતેલોની આયાત પર 20 ટકા વેરો લાદવાનો નિર્ણય લીધો છે અને રિફાઇન્ડ સોયાબીન, સૂર્યમુખી અને પામ ઓઇલ પરની કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે, જેથી ભારતના ખેડૂતોને સરસવ, સોયાબીન અને સૂર્યમુખી જેવા પાકોની ઊંચી કિંમતનો લાભ મળી શકે. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, સરકાર જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગને ટેકો આપી રહી છે, તેનાથી મહારાષ્ટ્રનાં કપાસનાં ખેડૂતોને મોટો લાભ થશે.
સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકારનો સંકલ્પ મહારાષ્ટ્રને મજબૂત કરવાનો છે. તેમણે રાજ્યની પ્રગતિની ગતિ સાથે ખુશી વ્યક્ત કરી હતી અને આજની તમામ વિકાસ પરિયોજનાઓ માટે મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સી પી રાધાકૃષ્ણન, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા.
પાશ્વ ભાગ
પ્રધાનમંત્રીએ નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના અપગ્રેડેશનનો શિલાન્યાસ કર્યો હતો, જેનો કુલ અંદાજિત અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ આશરે રૂ. 7000 કરોડ છે. તે ઉત્પાદન, ઉડ્ડયન, પ્રવાસન, લોજિસ્ટિક્સ અને હેલ્થકેર સહિત વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ માટે ઉત્પ્રેરક તરીકે કામ કરશે, જેનાથી નાગપુર શહેર અને વિસ્તૃત વિદર્ભ ક્ષેત્રને લાભ થશે.
પ્રધાનમંત્રીએ શિરડી એરપોર્ટ પર રૂ. 645 કરોડથી વધારેનાં મૂલ્યનાં નવા સંકલિત ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તે શિરડીમાં આવતા ધાર્મિક પ્રવાસીઓ માટે વિશ્વ કક્ષાની સુવિધાઓ અને સુવિધાઓ પૂરી પાડશે. સૂચિત ટર્મિનલની નિર્માણ થીમ સાંઈ બાબાના આધ્યાત્મિક લીમડાના ઝાડ પર આધારિત છે.
તમામ માટે વાજબી અને સુલભ સ્વાસ્થ્ય સુવિધા સુનિશ્ચિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રમાં મુંબઈ, નાસિક, જાલના, અમરાવતી, ગડચિરોલી, બુલઢાણા, વાશિમ, ભંડારા, હિંગોલી અને અંબરનાથ (થાણે) સ્થિત 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો શુભારંભ કરાવ્યો હતો. સ્નાતક અને અનુસ્નાતકની બેઠકોમાં વધારો કરવાની સાથે કોલેજો લોકોને વિશિષ્ટ તૃતીયક આરોગ્યસંભાળ પણ પ્રદાન કરશે.
ભારતને ‘સ્કિલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ’ તરીકે સ્થાપિત કરવાના તેમના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ (આઇઆઇએસ) મુંબઇનું ઉદઘાટન પણ કર્યું હતું, જેનો ઉદ્દેશ અત્યાધુનિક ટેકનોલોજી અને હેન્ડ-ઓન તાલીમ સાથે ઉદ્યોગ માટે તૈયાર કાર્યદળ ઊભું કરવાનો છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ હેઠળ સ્થાપિત આ કંપની ટાટા એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ અને ભારત સરકાર વચ્ચે જોડાણ છે. આ સંસ્થા મેકેટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ઔદ્યોગિક ઓટોમેશન અને રોબોટિક્સ જેવા અત્યંત વિશિષ્ટ ક્ષેત્રોમાં તાલીમ આપવાની યોજના ધરાવે છે.
આ સમાચાર પણ વાંચો: Lakhimpur Kheri BJP MLA : લખીમપુર માં BJP MLA યોગેશ વર્માની સાથે મારપીટ, પોલીસ સામે જ ધારાસભ્યને મારી દીધી થપ્પડ.. જુઓ વિડીયો..
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું. વીએસકે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટકર્તાઓને સ્માર્ટ ઉપાસ્થતી, સ્વાધ્યાય જેવા જીવંત ચેટબોટ્સ મારફતે નિર્ણાયક શૈક્ષણિક અને વહીવટી ડેટાની સુલભતા પ્રદાન કરશે. તે શાળાઓને સંસાધનોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા, માતાપિતા અને રાજ્ય વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને પ્રતિભાવપૂર્ણ ટેકો પૂરો પાડવા માટે ઉચ્ચ-ગુણવત્તાની આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. તે શિક્ષણ પદ્ધતિઓ અને વિદ્યાર્થીઓના શિક્ષણને વધારવા માટે ક્યુરેટેડ સૂચનાત્મક સંસાધનો પણ પૂરા પાડશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)