Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશનું ચુંટણીમાં ખૂબ મહત્વ: વડાપ્રધાન માત્ર 2 મહિનામાં આટલી વખત લીધી મુલાકાત; આ છે કારણ

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 15 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ પ્રદેશમાં લગભગ ૨૬ જિલ્લાઓ આવે છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે અહીં ૧૫૬માંથી ૧૦૬ બેઠકો જીતી હતી. જ્યારે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પૂર્વાંચલ પ્રદેશની ૩૦માંથી ૨૧ બેઠકો પર ભાજપના સાંસદો ચૂંટાયા હતા. આ સાથે પાર્ટીના સહયોગી અપના દળના બે સાંસદો પણ ચૂંટાયા હતા. હવે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ કોઈપણ રીતે આ વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ભાજપ વાતાવરણને પોતાના પક્ષમાં રાખવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમના મતે, “મોટો પ્રશ્ન મોદી અને યોગી બંનેની અંગત છબી જાળવી રાખવાનો છે. અગાઉ, ૨૦૧૮ની ગોરખપુર લોકસભા પેટાચૂંટણીમાં, જ્યારે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી હતા ત્યારે ભાજપે તે બેઠક ગુમાવી હતી, ત્યારે જગ્યાએ જગ્યાએ તેમની ટીકા થઈ હતી અને તેમના પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. તેથી તેઓ કોઈપણ સંજાેગોમાં આ દાવ ગુમાવવા માંગતા નથી.” ઉત્તર પ્રદેશમાં આગામી કેટલાક મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં ફરીથી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે, આવી સ્થિતિમાં રાજ્યમાં રાજકીય તબક્કાની પ્રક્રિયા તેજ થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રવાસ કરી રહ્યા છે, ખાસ કરીને તેમનું ધ્યાન પૂર્વ ઉત્તર પ્રદેશ પર છે. હવે એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ભાજપ શા માટે પૂર્વાંચલ પર ફોકસ કરી રહ્યું છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીના થોડા મહિના પહેલા પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી માટે સતત ૨ દિવસનો કાર્યક્રમ રાખ્યો છે. નોંધનીય છે કે છેલ્લા બે મહિનામાં વડાપ્રધાન મોદીની પૂર્વાંચલ (પૂર્વ ઉત્તર પ્રદેશ)ની આ છઠ્ઠી મુલાકાત છે. જાે કે, વડાપ્રધાન દ્વારા જે રીતે પૂર્વાંચલની મુલાકાત લેવામાં આવી રહી છે, તે દર્શાવે છે કે આગામી ચૂંટણીમાં આ પ્રદેશનું રાજકીય મહત્વ કેટલું છે. પૂર્વાંચલ રાજ્યના ચાર મુખ્ય રાજકીય પ્રદેશો (પૂર્વાંચલ, બુંદેલખંડ, અવધ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ)માં બેઠકોની દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે.  પૂર્વાંચલનો પ્રવાસ કુશીનગરથી શરૂ થયો ચૂંટણી પહેલા ભાજપ ખૂબ જ સક્રિય થઈ ગયું છે અને પહેલા બે મહિનામાં પૂર્વાંચલમાં પાર્ટી દ્વારા સંપૂર્ણ વહીવટી અને રાજકીય શક્તિ ફેંકવામાં આવી છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા પાર્ટી રાજ્યના તમામ મોટા પ્રોજેક્ટ્‌સનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરાવવા માંગે છે.  તે લગભગ ૨ મહિના પહેલા શરૂ થયું હતું. જ્યારે વડાપ્રધાન મોદીએ ૨૦ ઓક્ટોબરે કુશીનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેના પાંચ દિવસ પછી, ૨૫ ઓક્ટોબરે, ઁસ્એ પૂર્વાંચલના ૯ જિલ્લામાં મેડિકલ કોલેજાેનું ઉદ્‌ઘાટન કર્યું. ત્યારબાદ તેમણે ૨૨,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૧૬ નવેમ્બરના રોજ સુલતાનપુર ખાતે લખનૌથી ગાઝીપુરને જાેડતા ૩૪૧ કિલોમીટર લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદ્‌ઘાટન કર્યું.

સારા સમાચાર! નવા વર્ષમાં સિડકો આટલા ઘર માટે કાઢશે લોટરી, જાણો વિગત

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version