Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Uttar Pradesh: PM મોદી આવતીકાલે ઉત્તર પ્રદેશની લેશે મુલાકાત, 6670 કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ યોજનાઓ સહીત આ ચેટબોટનો કરશે શુભારંભ..

PM Modi Uttar Pradesh: પ્રધાનમંત્રી મહાકુંભ મેળા 2025 માટે વિકાસ કાર્યોની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી પ્રયાગરાજ ખાતે 6670 કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી કુંભ સહાયક ચેટબોટનો શુભારંભ કરશે

PM Modi will visit Uttar Pradesh on December 13

PM Modi will visit Uttar Pradesh on December 13

News Continuous Bureau | Mumbai 

PM Modi Uttar Pradesh: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. તેઓ પ્રયાગરાજ જશે અને બપોરે 12:15 વાગ્યે સંગમ સ્થળે પૂજા અને દર્શન કરશે. ત્યારબાદ લગભગ 12:40 વાગ્યે પ્રધાનમંત્રી અક્ષય વટવૃક્ષમાં પૂજા કરશે અને ત્યારબાદ હનુમાન મંદિર અને સરસ્વતી કૂપમાં દર્શન અને પૂજા કરશે. બપોરે લગભગ 1:30 વાગ્યે તેઓ મહાકુંભ પ્રદર્શન સ્થળનું ભ્રમણ કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2 વાગ્યે તેઓ પ્રયાગરાજ ખાતે 6670 કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. 

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રી ( Narendra Modi ) મહાકુંભ 2025 માટે વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. જેમાં પ્રયાગરાજમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા અને સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે 10 નવા રોડ ઓવર બ્રિજ (RoBs) અથવા ફ્લાયઓવર, કાયમી ઘાટ અને રિવરફ્રન્ટ રોડ જેવા વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

સ્વચ્છ અને નિર્મળ ગંગા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ, પ્રધાનમંત્રી ગંગા નદી તરફ જતા નાના નાળાઓને રોકવા, ટેપીંગ, ડાયવર્ઝન અને ટ્રીટમેન્ટના પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરશે, જે નદીમાં ગંદું પાણી છોડવામાં ન આવે તેની ખાતરી કરશે. તેઓ પીવાના પાણી અને વીજળી સંબંધિત વિવિધ માળખાકીય પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે.

આ સમાચાર પણ વાંચો : Ashok Raj Sigdel : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેપાળી સેનાના વડા જનરલ અશોક રાજ સિગડેલનું કર્યું સન્માન, ભારતીય સેનાના જનરલનો માનદ રેન્ક કર્યો એનાયત..જુઓ ફોટોસ

પ્રધાનમંત્રી ( PM Modi Uttar Pradesh ) મુખ્ય મંદિર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે જેમાં ભારદ્વાજ આશ્રમ કોરિડોર, શ્રીંગવેરપુર ધામ કોરિડોરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ ભક્તોની સુગમતા વધારશે અને આધ્યાત્મિક પર્યટનને પણ વેગ આપશે.

પ્રધાનમંત્રી કુંભ સહાયક ( Kumbh Sahayak ) ચેટબોટ પણ લોન્ચ કરશે જે મહાકુંભ મેળા 2025 ( Maha Kumbh Mela 2025 ) બાબતે ભક્તોને કાર્યક્રમો અંગેનું માર્ગદર્શન અને અપડેટ્સ આપશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version