Site icon

PM Modi Varanasi: PM મોદી આવતીકાલે લેશે વારાણસીની મુલાકાત, રૂ. 6,100 કરોડથી વધુના આ બહુવિધ એરપોર્ટ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન.

PM Modi Varanasi: પીએમ રૂ. 6,100 કરોડથી વધુના બહુવિધ એરપોર્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ આરજે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. પીએમ વારાણસીમાં બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન પણ કરશે

PM Modi will visit Varanasi tomorrow, Rs. 6,100 crore will inaugurate this multiple airport project.

PM Modi will visit Varanasi tomorrow, Rs. 6,100 crore will inaugurate this multiple airport project.

News Continuous Bureau | Mumbai

PM Modi Varanasi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 ઓક્ટોબરનાં રોજ વારાણસીની મુલાકાત લેશે. બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આરજે શંકરા આઇ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ સાંજે લગભગ 4:15 વાગ્યે તેઓ વારાણસીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. 

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી ( Narendra Modi ) આરજે સંકરા આંખની હોસ્પિટલનું ઉદઘાટન કરશે. હોસ્પિટલ આંખની વિવિધ પરિસ્થિતિઓ માટે વ્યાપક પરામર્શ અને સારવાર પ્રદાન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવાની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી એરપોર્ટ રનવેનાં વિસ્તરણ અને વારાણસીમાં ( Varanasi ) લાલ બહાદુર શાસ્ત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં આશરે રૂ. 2870 કરોડનાં મૂલ્યનાં નવા ટર્મિનલ બિલ્ડિંગ અને આનુષંગિક કાર્યો માટે શિલારોપણ કરશે. તેઓ રૂ. 570 કરોડથી વધારેનાં મૂલ્યનાં મૂલ્યનાં આગ્રા એરપોર્ટ પર, આશરે રૂ. 910 કરોડનાં દરભંગા એરપોર્ટ પર અને આશરે રૂ. 1550 કરોડનાં બાગડોગરા એરપોર્ટ પર ન્યૂ સિવિલ એન્ક્લેવનું શિલારોપણ પણ કરશે.

પ્રધાનમંત્રી રૂ. 220 કરોડથી વધારેનાં મૂલ્યનાં રીવા એરપોર્ટ, મા મહામાયા એરપોર્ટ, અંબિકાપુર અને સરસાવા એરપોર્ટનાં નવા ટર્મિનલ ભવનોનું ઉદઘાટન કરશે. આ હવાઈ મથકોની સંયુક્ત પેસેન્જર હેન્ડલિંગ ક્ષમતા વાર્ષિક 2.3 કરોડથી વધુ મુસાફરો સુધી વધશે. આ હવાઇમથકોની ડિઝાઇન પ્રભાવિત થાય છે અને તે પ્રદેશના વારસાના માળખાના સામાન્ય તત્વોમાંથી લેવામાં આવે છે.

રમતગમત માટે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત માળખાગત સુવિધાઓ પ્રદાન કરવાના તેમના વિઝનને અનુરૂપ પ્રધાનમંત્રી ખેલો ઇન્ડિયા યોજના અને સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂ. 210 કરોડથી વધારેની કિંમતનાં વારાણસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનાં( Varanasi Sports Complex )  પુનર્વિકાસનાં બીજા અને ત્રીજા તબક્કાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવાનો છે, જેમાં નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ, પ્લેયર્સ હોસ્ટેલ્સ, સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર, વિવિધ રમતો માટે પ્રેક્ટિસ ફિલ્ડ્સ, ઇન્ડોર શૂટિંગ રેન્જ, કોમ્બેટ સ્પોર્ટ્સ એરેના વગેરેનો સમાવેશ થાય છે. તેઓ લાલપુરમાં ડૉ. ભીમરાવ આંબેડકર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે 100-બેડ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ તથા જાહેર પેવેલિયનનું ઉદઘાટન પણ કરશે.

આ સમાચાર પણ વાંચો :  Surat PM Awas Yojana: સુરતમાં આટલા PM આવાસોનો યોજાયો ‘કોમ્પ્યુટરરાઈઝ ડ્રો’, રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે લાભાર્થીઓને મળ્યું પોતાનું ઘર..

પ્રધાનમંત્રી ( PM Modi Varanasi ) સારનાથમાં બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત વિસ્તારોનાં પ્રવાસન વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે. આ વધારાઓમાં પદયાત્રીઓને અનુકૂળ શેરીઓનું નિર્માણ, નવી ગટર લાઇનો અને અપગ્રેડેડ ડ્રેનેજ સિસ્ટમ, સ્થાનિક હસ્તકળા વિક્રેતાઓને પ્રોત્સાહન આપવા આધુનિક ડિઝાઇનર વેન્ડિંગ કાર્ટ્સ સાથે આયોજિત વેન્ડિંગ ઝોન સામેલ છે.

પ્રધાનમંત્રી બનાસુર મંદિર અને ગુરુધામ મંદિરમાં પ્રવાસન વિકાસ કાર્યો, બ્યુટિફિકેશન અને પાર્ક્સના પુનર્વિકાસ વગેરે જેવી અન્ય કેટલીક પહેલોનું ઉદઘાટન પણ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Exit mobile version