Site icon

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ જંતર મંતર પર આંદોલને બેઠા-આ છે કારણ

News Continuous Bureau | Mumbai

ચોખા, ઘઉં. સાકર અને ખાદ્યતેલ ખરાબ થઈ રહ્યા છે, તેની ભરપાઈ મળે એવી માગણી સાથે અખિલ ભારતીય રાસ્ત ભાવ ધાન્ય દુકાનદાર ફેડરેશન(All India Rasht Bhav Dhana Shoppers Federation) તરફથી દેશભરમાં રાશનના વિતરણ(Distribution of Ration) માટે પશ્ચિમ બંગાળનું(West Bengal) મોડેલ અમલમાં આવે એ માગણી સહિત અન્ય માગણીઓ સાથે જંતર મંતર(Jantar Mantar) પર આંદોલન(Prptest) કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના(Prime Minister Narendra Modi) ભાઈ પ્રહલાદ મોદી(Prahlad Modi) પણ જોડાયા છે.

Join Our WhatsApp Community

અખિલ ભારતીય રાસ્ત ભાવ ધાન્ય દુકાનદાર ફેડરેશનના પ્રહલાદ મોદી ઉપાધ્યક્ષ છે. નવી દિલ્હીના(New delhi) જંતરમંતર માં વિવિધ માંગણી સાથે આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મારો ભાઈ વડા પ્રધાન છે તો શું હું ભૂખે મરું એવો સવાલ પણ તેમણે જંતર મંતર પર ચાલી રહેલા આંદોલન દરમિયાન કર્યો હતો.

ફેડરેશન તરફથી સરકારને 9 માગણીઓ કરવામાં આવી છે. આ માગણીઓ સાથેનું નિવેદન વડા પ્રધાન મોદીને રજૂ કરવામાં આવવાનું છે. પ્રહલાદ મોદી પોતે રેશનિંગની દુકાન(Ration shop) ચલાવે છે. રેશનિંગની દુકાનદારોને થઈ રહેલી હાલાકીને પગલે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે મારો ભાઈ વડા પ્રધાન હોય તો શું ભૂખે મરું.

આ સમાચાર પણ વાંચો :  શિવસેના કોની- આજે પણ સ્પષ્ટતા નહીં- હવે આ તારીખે ફરીથી સુપ્રીમમાં થશે સુનાવણી

ફેડરેશને બુધવારે લોકસભાના અધ્યક્ષ(Loksabha Member) ઓમ બિર્લાની(Om Birlan) મુલાકાત લેવાનું છે. ચોખા, ઘઉં. સાકર અને ખાદ્યતેલ ખરાબ હતું. તો તેનું વળતર મળવું જોઈ એવી માગણી ફેડરેશને કરી હતી. એ સિવાય દેશભરમાં રાશનના વિતરણ મટે પશ્ર્ચિમ બંગાળની પેટર્ન અમલમાં મૂકવાની માગણી પણ કરવામાં આવી છે. દેશભરમાં રાશનના વેચાણી દુકાનદારોને મામૂલી રકમ મળે  છે. તેથી તેમને અનેક તકલીફનો સામનો કરવો પડે છે. તેથી જમ્મુ કાશ્મીર સહિત દેશભરની રેશનિંગની દુકાનને વધુ રકમ મળે તેવી  માગણી પણ આ એસોસિયેશને કરી છે.
 

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version