મહારાષ્ટ્રના પુણે, પિંપરી-ચિંચવડ અને આજુબાજુના ગ્રામીણ ભાગોમાં આજે વીજ અને પાણી પુરવઠો થયો પ્રભાવિત, આ છે કારણ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

બુધવાર.

મહારાષ્ટ્રના પુણે અને પિંપરી ચિંચવાડ તેમજ ચાકણ MIDC, લોનીકંદ, વાઘોલી વિસ્તારમાં આજે સવારથી વીજળી ન હોવાથી પુણેકરોને અંધકારનો સામનો કરવો પડ્યો છે. 

મહાટ્રાન્સમિશનના બે મહત્વના પાવર સબ સ્ટેશનને વીજળી સપ્લાય કરતી ટાવર લાઇનમાં ખામી સર્જાઈ છે. 

વીજળીના અભાવને કારણે પિંપરી-ચિંચવડ શહેરમાં પાણી પુરવઠો પણ અવરોધાયો છે. 

કહેવામાં આવી રહ્યું છે વીજ પુરવઠો સવારે 6 વાગ્યાથી બંધ થઈ ગયો હતો. પરંતુ હવે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More