Praful Patel Case: NDAમાં જોડાયાના આઠ મહિના બાદ પ્રફુલ્લ પટેલને મોટી રાહત, હવે CBIએ ભ્રષ્ટાચારનો કેસ બંધ કર્યો…

Praful Patel Case: પ્રાપ્ત માહિતી અનુસાર, CBIએ અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલ વિરુદ્ધ 2017માં નોંધાયેલ ભ્રષ્ટાચારનો કેસ બંધ હવે કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, મેં 2017માં, સીબીઆઈએ એર ઈન્ડિયા માટે એરક્રાફ્ટ લીઝ પર આપવામાં આવેલી ગેરરીતિઓના આરોપોની તપાસ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) અને એર ઈન્ડિયાના અધિકારીઓ સામે કેસ નોંધ્યો હતો.

by Bipin Mewada
Praful Patel Case Big relief for Prafull Patel after eight months of joining NDA, now CBI closes corruption case...

  News Continuous Bureau | Mumbai

Praful Patel Case: 8 મહિના પહેલા NDAનો ભાગ બનેલા મહારાષ્ટ્રના પ્રખ્યાત નેતા પ્રફુલ્લ પટેલને લોકસભા ચૂંટણી 2024 ( Lok Sabha Election 2024 ) પહેલા મોટી રાહત મળી છે. એર ઈન્ડિયા સાથે જોડાયેલા 840 કરોડ રૂપિયાના કથિત કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પટેલને ક્લીનચીટ મળી ગઈ છે. આ ભ્રષ્ટાચાર કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન કરી રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, CBIએ અજિત પવાર જૂથના નેતા પ્રફુલ પટેલ વિરુદ્ધ 2017માં નોંધાયેલ ભ્રષ્ટાચારનો કેસ ( Corruption case ) હવે બંધ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, મેં 2017માં, સીબીઆઈએ એર ઈન્ડિયા માટે એરક્રાફ્ટ લીઝ પર આપવામાં આવેલી ગેરરીતિઓના આરોપોની તપાસ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( MoCA ) અને એર ઈન્ડિયાના અધિકારીઓ સામે કેસ નોંધ્યો હતો.

 લગભગ સાત વર્ષ સુધી આ કેસની તપાસ કર્યા બાદ CBI એ હવે ક્લીનચીટ આપી દીધી..

મડિયા રિપોર્ટ અનુસાર, લગભગ સાત વર્ષ સુધી આ કેસની તપાસ કર્યા બાદ સીબીઆઈએ પ્રફુલ પટેલ અને MoCA અને એર ઈન્ડિયાના તત્કાલીન અધિકારીઓને ક્લીનચીટ આપીને તેની તપાસ બંધ કરી દીધી છે. તેમજ આ વર્ષે 19 માર્ચે કોર્ટમાં આ કેસનો ક્લોઝર રિપોર્ટ પણ દાખલ કરવામાં આવ્યો હતો

આ સમાચાર પણ વાંચો :  Mukhtar Ansari Death: મુખ્તાર અંસારીનું મોત, ગાઝીપુરથી બનારસ સુધી રાજકારણમાં બનાવ્યો હતો જીતનો રેકોર્ડ, જાણો ગેંગસ્ટરથી રાજકારણમાં કઈ રીતે બન્યો અગ્રણી..

ઉલ્લેખનીય છે કે, તત્કાલિન નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલ પર કથિત ભ્રષ્ટાચાર અને એર ઈન્ડિયાને મોટી સંખ્યામાં એરક્રાફ્ટ લીઝ પર આપવા માટે MoCA, એર ઈન્ડિયા અને ખાનગી કંપનીના અધિકારીઓ સાથે કાવતરું કરીને પોતાના પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

આ મામલામાં અધિકારીઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન કંપનીઓ સાથે સીટ શેરીંગ સહિત એર ઇન્ડિયામાં કથિત અનિયમિતતા સંબંધિત અન્ય બાબતોની તપાસ શરૂ કરવામાં આવી હતી અને આમાં આગળ પણ તપાસ ચાલુ જ રહેશે. જો કે હાલ પ્રફુલ્લ પટેલ સામે કોઈ પુરાવા મળ્યા નથી. તપાસ એજન્સીએ પ્રફુલ પટેલ તેમજ MoCA અને એર ઈન્ડિયાના તત્કાલીન અધિકારીઓને ક્લીનચીટ આપી છે. હવે આ કેસમાં સ્પેશિયલ કોર્ટ નિર્ણય લેશે કે રિપોર્ટ સ્વીકારવો કે નહીં. ક્લોઝર રિપોર્ટ દાખલ થયા બાદ કોર્ટ નક્કી કરશે કે કેસની તપાસ આગળ ચાલુ રહેશે કે નહીં.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More