Site icon

આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, આ રીતે રહેશે કાર્યક્રમ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજથી 9 ડિસેમ્બર એટલે કે 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર છે.

રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ કોવિંદ સોમવારે રાયગઢ કિલ્લાની મુલાકાત લેશે અને છત્રપતિ શિવાજી મહારાજને શ્રદ્ધાંજલિ આપશે.

સાથે જ રાષ્ટ્રપતિ પૂણેના લોહેગાંવના એરબેઝની મુલાકાત લેશે. તથા એરબેઝ પર એરમેન સાથે વાતચીત કરશે અને ફ્લાઇટનું પ્રદર્શન પણ જોશે. 

આ ઉપરાંત મુંબઇમાં 22મી મિસાઇલ વેસલ સ્કવોડ્રનને પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ પણ એનાયત કરશે.

‘પ્રેસિડેન્ટ્સ સ્ટાન્ડર્ડ’ એવોર્ડ એ યુદ્ધ અને શાંતિ બંને દરમિયાન રાષ્ટ્રની અસાધારણ સેવા માટે એરફોર્સ યુનિટ અથવા સ્ક્વોડ્રનને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનોમાંનો એક છે.

આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 28 નવેમ્બરે બે દિવસની મુલાકાતે હરિદ્વાર પહોંચ્યા હતા. અહીં તેમણે પતંજલિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ અને 29 નવેમ્બરે દેવ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 

મુંબઈ, ગુજરાત અને કર્ણાટક પછી દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ સામે આવ્યો. જાણો વિગત…

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version