Karnataka: પ્રધાનમંત્રીએ કર્ણાટકના ઉત્તર કન્નડ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો, મૃતકના પરિવારો અને ઘાયલો માટે આટલા રૂપિયાંના સહાય ની કરી જાહેરાત

Karnataka: પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં ઉત્તર કન્નડમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી

by khushali ladva
Karnataka Prime Minister expresses grief over Uttara Kannada accident in Karnataka, announces Rs 100 crore assistance for families of deceased and injured

Karnataka: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં ઉત્તર કન્નડમાં થયેલા બસ અકસ્માતમાં થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો. તેમણે દરેક મૃતકનાં પરિવારજનો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી.

X પર પોસ્ટમાં પ્રધાનમંત્રી કાર્યાલયે કહ્યું: “કર્ણાટકનાં ઉત્તર કન્નડ જિલ્લામાં થયેલા અકસ્માતમાં થયેલા જાનહાનિથી ખૂબ દુઃખ થયું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને મદદ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂ. 2 લાખની સહાયની જાહેરાત દરેક મૃતકનાં પરિવારજનોને કરવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

Join Our WhatsApp Community

You may also like