Site icon

વડા પ્રધાન મોદી આજે વારાણસીની મુલાકાતે, રોપ-વે સહિત અધધ આટલા કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

પીએમ મોદી દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપવેનો શિલાન્યાસ કરશે

Prime Minister Narendra Modi will lay the foundation stone of a project worth Rs 1780 crore in Uttar Pradesh today

વડા પ્રધાન મોદી આજે વારાણસીની મુલાકાતે, રોપ-વે સહિત અધધ આટલા કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બનારસની મુલાકાત લેશે અને અહીં તેઓ જિલ્લાના લોકોને 1780 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સોંપશે. આ દરમિયાન પીએમ મોદી દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપવેનો શિલાન્યાસ કરશે. પીએમ વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશન પર શિલાન્યાસ કરશે, જેની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Join Our WhatsApp Community

રોપ-વેના નિર્માણ બાદ કાશી વિશ્વનાથ જતા ભક્તોનો માર્ગ સરળ બનશે. રેલવે સ્ટેશન પર પહોંચવા પર, પ્રવાસીઓ થોડીવારમાં જ ગોદૌલિયા પહોંચી જશે અને પછી બાબા વિશ્વનાથના દર્શન માટે આગળ વધશે.

પ્રથમ તબક્કામાં, રોપવે કેન્ટ રેલ્વે સ્ટેશનથી શરૂ થશે અને ગોદૌલિયા ક્રોસરોડ્સને જોડશે. આ દરમિયાન, રોપવે કુલ પાંચ સ્ટેશનો – કેન્ટ રેલ્વે સ્ટેશન, વિદ્યાપીઠ સ્ટેશન, રથયાત્રા, ગિરધર અને ગોદૌલિયા સ્ટેશનમાંથી પસાર થતા 4.5 કિમીનું અંતર કાપશે. રોપ-વે કાર્યરત થયા બાદ એકથી દોઢ કલાકનો સમય ઘટીને 16 મિનિટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : જો તમે સોશિયલ મીડિયા પર ‘આ’ શબ્દનો ઉપયોગ કરો છો તો સાવધાન! થઈ શકે છે કાર્યવાહી..

આ સાથે રોપ-વે કારમાં 11 લોકો માટે બેસવાની સુવિધા પણ હશે. પ્રશાસને રૂ. 555 કરોડના પ્રોજેક્ટ માટે તૈયારીઓ તેજ કરી છે. પ્રથમ તબક્કા માટે 31 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે.

PM મોદી પેક હાઉસનું ઉદ્ઘાટન કરશે

આજની મુલાકાતમાં પીએમ મોદી પૂર્વી ઉત્તર પ્રદેશના ખેડૂતોને એક નવા સંકલિત પેક હાઉસની ભેટ આપશે. રાજ્યમાં આ પ્રકારની ત્રીજી સુવિધા હશે, જેનો ઉપયોગ શાકભાજી અને ફળોના સંગ્રહ અને પેકેજિંગ માટે અને પ્રદેશમાંથી કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. કારખિયાંવ ખાતે 4,461 ચોરસ ફૂટ વિસ્તારમાં 15.78 કરોડ રૂપિયામાં પેક હાઉસ બનાવવામાં આવ્યું હતું.

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version