Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન મોદી આજે વારાણસીની મુલાકાતે, રોપ-વે સહિત અધધ આટલા કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

પીએમ મોદી દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપવેનો શિલાન્યાસ કરશે

Prime Minister Narendra Modi will lay the foundation stone of a project worth Rs 1780 crore in Uttar Pradesh today

વડા પ્રધાન મોદી આજે વારાણસીની મુલાકાતે, રોપ-વે સહિત અધધ આટલા કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ

News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બનારસની મુલાકાત લેશે અને અહીં તેઓ જિલ્લાના લોકોને 1780 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ સોંપશે. આ દરમિયાન પીએમ મોદી દેશના પ્રથમ પબ્લિક ટ્રાન્સપોર્ટ રોપવેનો શિલાન્યાસ કરશે. પીએમ વારાણસીના કેન્ટ રેલવે સ્ટેશન પર શિલાન્યાસ કરશે, જેની તૈયારીઓ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Join Our WhatsApp Channel

રોપ-વેના નિર્માણ બાદ કાશી વિશ્વનાથ જતા ભક્તોનો માર્ગ સરળ બનશે. રેલવે સ્ટેશન પર પહોંચવા પર, પ્રવાસીઓ થોડીવારમાં જ ગોદૌલિયા પહોંચી જશે અને પછી બાબા વિશ્વનાથના દર્શન માટે આગળ વધશે.

પ્રથમ તબક્કામાં, રોપવે કેન્ટ રેલ્વે સ્ટેશનથી શરૂ થશે અને ગોદૌલિયા ક્રોસરોડ્સને જોડશે. આ દરમિયાન, રોપવે કુલ પાંચ સ્ટેશનો – કેન્ટ રેલ્વે સ્ટેશન, વિદ્યાપીઠ સ્ટેશન, રથયાત્રા, ગિરધર અને ગોદૌલિયા સ્ટેશનમાંથી પસાર થતા 4.5 કિમીનું અંતર કાપશે. રોપ-વે કાર્યરત થયા બાદ એકથી દોઢ કલાકનો સમય ઘટીને 16 મિનિટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : જો તમે સોશિયલ મીડિયા પર ‘આ’ શબ્દનો ઉપયોગ કરો છો તો સાવધાન! થઈ શકે છે કાર્યવાહી..

આ સાથે રોપ-વે કારમાં 11 લોકો માટે બેસવાની સુવિધા પણ હશે. પ્રશાસને રૂ. 555 કરોડના પ્રોજેક્ટ માટે તૈયારીઓ તેજ કરી છે. પ્રથમ તબક્કા માટે 31 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે.

PM મોદી પેક હાઉસનું ઉદ્ઘાટન કરશે

આજની મુલાકાતમાં પીએમ મોદી પૂર્વી ઉત્તર પ્રદેશના ખેડૂતોને એક નવા સંકલિત પેક હાઉસની ભેટ આપશે. રાજ્યમાં આ પ્રકારની ત્રીજી સુવિધા હશે, જેનો ઉપયોગ શાકભાજી અને ફળોના સંગ્રહ અને પેકેજિંગ માટે અને પ્રદેશમાંથી કૃષિ નિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે. કારખિયાંવ ખાતે 4,461 ચોરસ ફૂટ વિસ્તારમાં 15.78 કરોડ રૂપિયામાં પેક હાઉસ બનાવવામાં આવ્યું હતું.

Sonipat Pitbull Attack પિટબુલ એટેક ૬ મહિનાના બાળકને કરડી ખાધું, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો; માલિક સામે પોલીસ ફરિયાદ!
Gujarat Monsoon Fury ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી ૨૪ કલાકમાં ૧૫૦ તાલુકામાં વરસાદ, મોરબીના માળિયામાં સૌથી વધુ ૫.૧૬ ઇંચ ખાબક્યો
Amravati Trainee Doctor Death ગોરો વાન મેળવવાની દવાઓ શંકાના દાયરામાં અમરાવતીમાં ૨૨ વર્ષીય તાલીમાર્થી ડૉક્ટરનું રહસ્યમય સંજોગોમાં મોત
SC Questions Shinde Counsel ‘ત્રીજો વિકલ્પ કેમ ન પસંદ કર્યો?’ સુપ્રીમ કોર્ટે એકનાથ શિંદેના વકીલને પૂછ્યો સવાલ, ‘આની ચકાસણી જરૂરી…’
Exit mobile version