News Continuous Bureau | Mumbai
Pune Crime: પુણેમાં પોલીસે ગુરુવારે એક કેસમાં ખુલાસો કર્યો હતો. જેમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં પુણેમાં બારામતીમાં એક યુવક મૃત્યુ પામ્યો હતો. પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવકનું એક પરિણીત મહિલા સાથે અફેર ( extra marital affair ) હતું. જ્યારે મહિલાના પતિના આ અફેરની જાણ થઈ તો તેણે યુવકની હત્યા કરી નાખી હતી જે બાદ આ હત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, બારામતીના વાડકે નગરમાં રહેતો મૃતક યુવક પુણે ( Pune ) શહેરના અંબેગાંવ પાથરની એક પરિણીત મહિલા સાથે પ્રેમમાં હતો. જ્યારે મહિલાના પતિને ( Husband Wife ) આ સંબંધની જાણ થઈ તો મહિલાના પતિએ યુવકની હત્યા ( Murder Case ) કરવાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે 2 ડિસેમ્બર, 2023ના રોજ જ્યારે મૃતક યુવક પુણેમાં મહિલાને મળવા આવ્યો ત્યારે મહિલાના પતિ અને તેના સહયોગી પીડીતને ઈન્દિરા નગર લઈ ગયા.
પોલીસે ઘટનાસ્થળે મૃતક યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો..
આરોપી યુવકને ત્યાં એક વેરહાઉસમાં લઈ ગયા હતા અને પીડીત સાથે મારપીટ કરી હતી. જેમાં યુવકની હાલત નાજુક બનતાં તે ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી, પોલીસે ઘટનાસ્થળે મૃતક યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો, ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.
પીડીતના મૃત્યુ બાદ તેના મેડિકલ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે પીડીતનું મોત માથા અને શરીરના અન્ય ભાગોમાં ઊંડા ઘાના કારણે થયું હતું. આ મામલામાં પોલીસે તે આરોપીની ઓળખ કરી લીધી છે. જેમણે મહિલાની સાથે તેના પ્રેમ સંબંધની જાણ થતાં તેની હત્યા કરી હતી. આ મામલે પોલીસે ગુરુવારે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધી હતી.
આ કેસમાં પોલીસે મહિલાના પતિ અને બે સગીર આરોપીઓ સહિત છ લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 302, 364, 143, 147, 149 હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં હાલ મહિલાના પતિ સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હત્યામાં સંડોવાયેલા સગીરની પણ અટકાયત કરવામાં આવી હતી. આ મામલામાં હાલ વધુ તપાસ ચાલુ છે.