Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ

હિંજવડી પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ તેજ કરી, મુખ્ય ફરિયાદીએ પોતે ₹57 લાખ ગુમાવ્યા

by Tanvi
Pune Investment Fraud Case Registered Against 4 for 4 Crore Scam in Share Market and Bhishi Schemes

News Continuous Bureau | Mumbai

Pune Investment Fraud પુણેના હિંજવડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા માણ વિસ્તારમાં શેરબજાર અને ભિશી યોજનાઓના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી અંદાજે ₹4.16 કરોડથી વધુની રકમ પડાવી લીધી છે. આ મામલે હિંજવડી પોલીસે એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ રોકાણકારોને વિશ્વાસમાં લેવા માટે દર મહિને 4 થી 5 ટકા જેટલું માતબર વળતર આપવાનું વચન આપ્યું હતું.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શરૂઆતમાં કેટલાક લોકોને વળતર આપી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ મોટા પાયે ભંડોળ ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. આ લોભામણી સ્કીમમાં મુખ્ય ફરિયાદીએ પોતે ₹57.06 લાખ ગુમાવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે અન્ય અનેક રોકાણકારો પાસેથી પણ આરોપીઓએ કુલ ₹3.59 કરોડથી વધુની રકમ ઉઘરાવી હતી. આમ, કુલ છેતરપિંડીનો આંકડો ₹4,16,20,892 પર પહોંચ્યો છે.

વળતર માંગતા જ આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા

જ્યારે રોકાણકારોએ પોતાનું વળતર અથવા મૂળ રકમ પરત માંગી, ત્યારે આરોપીઓએ વાયદાઓ કરી છેવટે હાથ ઊંચા કરી દીધા હતા. અંતે છેતરાયેલા હોવાનો અહેસાસ થતા રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. હિંજવડી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે આરોપીઓના બેંક ખાતા અને આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે.

 ટેકનિકલ એનાલિસિસ દ્વારા નાણાંની રિકવરીના પ્રયાસો

રોકાણકારોના નાણાં ક્યાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેની કડીઓ મેળવવા માટે પોલીસ ટેકનિકલ એનાલિસિસની મદદ લઈ રહી છે. તપાસ અધિકારીઓનું કહેવું છે કે ભોગ બનનારાઓની રકમ રિકવર કરવા માટે આરોપીઓના મિલકતો અને રોકાણોની પણ તપાસ કરવામાં આવશે. આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથા સામેલ છે કે કેમ તે અંગે પણ પોલીસ પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Hit-and-Run: પરેલની વાડિયા હોસ્પિટલ પાસે કારની ટક્કરે અઢી વર્ષના માસૂમનું મોત, ચાલક ફરાર

ઊંચા વળતરની લાલચથી બચવા પોલીસની અપીલ

પોલીસે સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે શેરબજારકે અન્ય કોઈ અનધિકૃત યોજનાઓમાં ઊંચા વળતરની લાલચમાં આવીને રોકાણ ન કરવું. વાર્ષિક 60 ટકા જેટલું વળતર આપવાનું વચન આપતી યોજનાઓ મોટેભાગે છેતરપિંડી હોય છે. રોકાણ કરતા પહેલા કંપનીની નોંધણી અને તેના પાછલા રેકોર્ડની ચોકસાઈ કરવી હિતાવહ છે. હિંજવડી પોલીસ આ કેસમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More