Site icon News Continuous Bureau | Mumbai

લો કરો વાત- પોપટની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા દાદા- કારણ સાંભળીને પોલીસ પણ છક થઈ ગઈ- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે પુણે શહેર(Pune city)માં એક ગજબ કેસ સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધે એક પોપટ(parrot) સામે ફરિયાદ (complaint) નોંધાવી છે. કોઈ પશુ પક્ષી વિશે પણ ફરિયાદ કરી શકે તેવો કિસ્સો ચર્ચાનો વિષય બન્યો છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ અનુસાર, પૂણેના શિવાજી નગર(Shivajinagar)ની મહાત્મા ગાંધી કોલોનીમાં રહેતા 72 વર્ષીય વૃદ્ધના પાડોશીએ (neighbour) પોપટ(pet) પાળ્યો છે. વૃદ્ધનો આક્ષેપ છે કે મારા ઘરની સામેના મકાન માલિકે પોપટ પાળ્યો છે. જ્યારે પણ તેઓ ઘરની બહાર જાય છે ત્યારે તેમને જોઈને પોપટ સીટી વગાડવા લાગે છે. જેના કારણે તેઓ માનસિક રીતે પરેશાન થઈ જાય છે. 

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર – મુંબઈ ગોવા હાઈવે થયો બંધ- સરકારી એજન્સીઓ એલર્ટ પર

વૃદ્ધે જણાવ્યું કે જ્યારે તેણે પોપટના માલિકને આ અંગે ફરિયાદ કરી તો તેણે તેની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું. આ કિસ્સામાં, પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું, અમે વૃદ્ધની ફરિયાદના આધારે પોપટના માલિક સામે શાંતિ ભંગ કરવી અને ગુનાકીય ધમકી આપવા મામલે ફરિયાદ નોંધી છે. અમે નિયમ મુજબ આગળની કાર્યવાહી કરીશુ. 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version