Site icon

Punjab Bandh updates: ખેડૂતોનું ‘પંજાબ બંધ’ સમાપ્ત, હાઈવે અને રેલવે ટ્રેકથી દૂર હટ્યા જગતનાં તાત; સામાન્ય થયો વાહનવ્યવહાર.. જાણો બંધ દરમિયાન શું અસર પડી?

Punjab Bandh updates: પંજાબમાં ખેડૂતોએ ચાર વાગ્યે રસ્તાઓ પર તેમના ધરણા સમાપ્ત કર્યા છે. ખેડૂતો રસ્તા પરથી હટી ગયા બાદ વાહન વ્યવહાર સામાન્ય બન્યો છે. પંજાબમાં સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પંજાબ બંધની ખાસ્સી અસર જોવા મળી હતી. બજારો બંધ રહી હતી. તેમજ રેલ્વે ટ્રેક પર વિવિધ જગ્યાએ ખેડૂતો બેઠા હતા જેના કારણે રેલ્વે સેવાઓ પણ બંધ રહી હતી.

Punjab Bandh updates Farmer leaders thank ‘3 crore Punjabis’ for ‘successful’ bandh

Punjab Bandh updates Farmer leaders thank ‘3 crore Punjabis’ for ‘successful’ bandh

 News Continuous Bureau | Mumbai 

 Punjab Bandh updates: પંજાબમાં ખેડૂતોએ આંદોલનના સમર્થનમાં પંજાબ બંધનું આહ્વાન કર્યું હતું, જે હવે સમાપ્ત થઈ ગયું છે. આ બંધને  કારણે સમગ્ર પંજાબમાં રેલ્વે ટ્રેક અને હાઈવે સહિત કુલ 140 જગ્યાએ ખેડૂતો બેઠા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ બંધને પંજાબના લોકોનું પણ સમર્થન મળ્યું છે.  હરિયાણા-પંજાબની શંભુ અને ખનૌરી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં ખેડૂતોએ સોમવારે પંજાબ બંધ પાળ્યો હતો. સવારે 7 થી 4 વાગ્યા સુધી ખેડૂતો 140 જગ્યાએ હાઈવે અને રેલ્વે ટ્રેક પર બેસી ગયા હતા. આ સમયગાળા દરમિયાન       અમૃતસર-જાલંધર-પાનીપત-દિલ્હી અને અમૃતસર-જમ્મુનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

Join Our WhatsApp Community

  Punjab Bandh updates: બંધનો અંત આવ્યા બાદ પંઢેરે શું કહ્યું?

પંજાબ બંધને લઈને મીડિયા સાથે વાત કરતા ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે અમારે બળજબરીથી કોઈની દુકાનો બંધ કરાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે તેમને વેપારીઓ અને કમિશન એજન્ટો તેમજ જૂથો અને અન્ય સંસ્થાઓનો ટેકો મળ્યો છે. આ માટે તેમણે આભાર પણ વ્યક્ત કર્યો છે.

અમૃતસર-જાલંધર-પાનીપત-દિલ્હી અને અમૃતસર-જમ્મુ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. ખેડૂતોની હડતાળને કારણે રેલવેએ વંદે ભારત સહિત કુલ 163 ટ્રેનો રદ કરી છે. હરિયાણાના કુરૂક્ષેત્ર અને અંબાલામાં પણ મુસાફરો અહી-ત્યાં તકલીફમાં ભટકતા જોવા મળ્યા હતા અને ટ્રેનો રદ થયા બાદ ઘણા મુસાફરોને હોટલોમાં રહેવાની ફરજ પડી હતી.

આ સમાચાર પણ વાંચો  : Adani Wilmar Share : અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, બિઝનેસ જૂથ આ કંપનીમાં સમગ્ર હિસ્સો પાછો ખેંચશે, શેર પર શું અસર પડી? જાણો…

 Punjab Bandh updates: રાજ્યમાં  દુકાનો, ગેસ અને પેટ્રોલ પંપ વગેરે પણ બંધ 

પંજાબથી 8 રાજ્યોમાં જતી કુલ 576 રૂટ પરની બસો પણ આજે બંધ રહી હતી. હરિયાણા અને હિમાચલ સહિત અન્ય રાજ્યોની બસો પણ પંજાબ આવી નથી. પંજાબમાં દુકાનો, ગેસ અને પેટ્રોલ પંપ વગેરે પણ બંધ રાખવામાં આવ્યા હતા. એકંદરે પંજાબ બંધની નોંધપાત્ર અસર જોવા મળી હતી. જોકે હવે સ્થિતિ સામાન્ય બની રહી છે.

જણાવી દઈએ કે સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર સંઘર્ષ મોરચાએ સોમવારે સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ભારત બંધનું એલાન આપ્યું હતું. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેમને તમામ વર્ગોનું સમર્થન છે. દુકાનો અને ધંધાકીય સંસ્થાઓ બંધ રહી હતી અને ટ્રેન અને બસ સેવાને અસર થઈ હતી. ખેડૂતો અને અન્ય સંગઠનોએ પણ શાકભાજી અને દૂધનો પુરવઠો બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

 Punjab Bandh updates:  આ માંગણીઓને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે

નોંધનીય છે કે, એમએસપી સિવાય, ખેડૂતો લોન માફી, પેન્શન, વીજળીના દરમાં વધારો ન કરવા, પોલીસ કેસ પાછો ખેંચવા અને લખીમપુર ખેરી હિંસાના પીડિતોને ‘ન્યાય’ આપવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે. જગજીત સિંહ ડલ્લેવાલ પણ આ માંગણીઓને લઈને આમરણાંત ઉપવાસ પર છે.

 

Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Badlapur Crime: બદલાપુરમાં વધુ એક નરાધમની કરતૂત: 4 વર્ષની બાળકી સાથે સ્કૂલ વાન ચાલકે કરી હેવાનીયત; પોલીસે આરોપીની ધરપકડ કરી વાન જપ્ત કરી
Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Exit mobile version