Punjab Election Result: પંજાબમાં લોકસભા ચૂંટણીમાં સંદેશ તેમજ ચેતવણી… અહીં ખાલિસ્તાન સમર્થકોની જીતનો અર્થ શું છે?.

Punjab Election Result: 1980 અને 1990 ના દાયકામાં, પંજાબમાં ખાલિસ્તાનની માંગ ઉઠી હતી. જેના માટે બળવાખોરીના પીડાદાયક સમયગાળામાંથી લોકોને પસાર થવુ પડયુ હતું. અલબત્ત, હવે ખાલિસ્તાન ચળવળ સંપૂર્ણપણે પંજાબમાં શાંત થઈ ગયુ છે, પરંતુ તેને હવે ફરી પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પંજાબની લગભગ તમામ લોકસભા બેઠકો પર ખાલિસ્તાન તરફી ઉમેદવાર સિમરનજીત સિંહ માન દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારોને ઘણી લોકસભા મતવિસ્તારોમાં નોંધપાત્ર મત મળ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર આવી ગઈ છે.

by Bipin Mewada
Punjab Election Result A message and a warning in the Lok Sabha elections in Punjab... What does the victory of Khalistan supporters mean here..

 News Continuous Bureau | Mumbai

Punjab Election Result: પંજાબના બે સંસદીય મતવિસ્તારોમાં ખાલિસ્તાન સમર્થકોની ( Khalistan supporters ) એકતરફી જીત અને લોકસભાની ઘણી બેઠકો પર કટ્ટરપંથીઓના વધતા વોટ શેરે હાલ દેશમાં ચિંતા વધારી છે. બે સંસદીય મતવિસ્તારોમાં અણધાર્યા પરિણામો અને 11 બેઠકો પર કટ્ટરપંથીઓના વોટ શેરને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ  પાકિસ્તાનને અડીને આવેલા પ્રાંતમાં હાલ સતર્ક થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે, આ આદેશમાં ઘણા સંદેશા છે. કટ્ટરપંથી બળોને બળ આપનારા તત્વોની પણ હવે શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેલમાંથી ચૂંટણી લડનાર ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને ઈન્દિરા ગાંધીના હત્યારાના પુત્ર સરબજીત સિંહ ખાલસાની જીતના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે. 

1980 અને 1990 ના દાયકામાં, પંજાબમાં ખાલિસ્તાનની ( Khalistan ) માંગ ઉઠી હતી. જેના માટે બળવાખોરીના પીડાદાયક સમયગાળામાંથી લોકોને પસાર થવુ પડયુ હતું. અલબત્ત, હવે ખાલિસ્તાન ચળવળ સંપૂર્ણપણે પંજાબમાં ( Punjab  ) શાંત થઈ ગયુ છે, પરંતુ તેને હવે ફરી પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. પંજાબની લગભગ તમામ લોકસભા બેઠકો ( Lok Sabha seats ) પર ખાલિસ્તાન તરફી ઉમેદવાર સિમરનજીત સિંહ માન દ્વારા ઉભા કરાયેલા ઉમેદવારોને ઘણી લોકસભા મતવિસ્તારોમાં નોંધપાત્ર મત મળ્યા છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ ( Central security agencies ) એલર્ટ પર આવી ગઈ છે. પંજાબની 553 કિલોમીટરની સરહદ પાકિસ્તાનને અડીને છે. તેથી કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ પંજાબમાં કટ્ટરપંથી ગતિવિધિઓ પર ખાસ નજર રાખી રહી છે.

Punjab Election Result: અગાઉ 1989ની લોકસભા ચૂંટણીમાં સિમરનજીત માન સહિત કટ્ટરપંથી વિચારધારા ધરાવતા નવ કટ્ટરપંથીઓએ જીત મેળવી હતી…

અગાઉ 1989ની લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha  Elections ) સિમરનજીત માન સહિત કટ્ટરપંથી વિચારધારા ધરાવતા નવ કટ્ટરપંથીઓએ જીત મેળવી હતી. તેમાં રોપરથી જીતેલા સરબજીત સિંહની માતા બિમલ કૌરનો પણ સમાવેશ થાય છે.

આ સમાચાર  પણ વાંચો: Surat : પોલીસ કમિશનરે એક જાહેરનામા દ્વારા સુરત શહેરમાં આવેલા તળાવો, નહેર, દરિયાકિનારાઓ પર નહાવા અને ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવ્યો

જો કે, 1992ની વિધાનસભા અને પછી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સિવાય અકાલી દળ અને ભાજપે સતત પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, પરંતુ કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ઉમેદવારોને લાંબા સમય સુધી લોકોનું સમર્થન મળ્યું ન હતું.

અમૃતપાલ સિંહ ( Amritpal Singh )સરબજીત ખાલસાનો ( Sarabjeet Singh Khalsa ) વિજય: કટ્ટરપંથી અમૃતપાલ સિંહે પંજાબમાં ખડુર સાહિબ સંસદીય બેઠક પર કોંગ્રેસના નજીકના હરીફ કુલબીર સિંહ ઝીરાને 1,97,120 મતોના માર્જિનથી હરાવીને સૌથી મોટી જીત નોંધાવી છે. ફરીદકોટમાં સરબજીત ખાલસાએ આમ આદમી પાર્ટીના કરમજીત સિંહને 70,053 મતોથી હરાવ્યા હતા. બંને પહેલીવાર ચૂંટણી જીત્યા છે. બંને કટ્ટરવાદી નેતાઓ ખાલિસ્તાનના સમર્થક છે.

અમૃતપાલ સિંહને આ લોકસભા ચૂંટણીમાં 4,04430 વોટ મળ્યા હતા. સરબજીત સિંહને 2.98 હજાર મત મળ્યા હતા. ભલે કટ્ટરપંથી વિચારધારા ધરાવતા સિમરનજીત માન સંગરુરથી લોકસભા ચૂંટણી હારી ગયા હોય, પરંતુ ત્રણ દાયકા પહેલા તેમના દ્વારા અથવા અન્ય કટ્ટરપંથી વિચારધારાના સમર્થકો દ્વારા શરૂ કરાયેલા અભિયાનનો પડછાયો પંજાબમાં ફરી એકવાર જોવા મળ્યો છે. ફરીદકોટથી જીતેલા સરબજીત સિંહના પિતાએ દરબાર સાહિબ પર થયેલા હુમલાનો બદલો લેવાના નામે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરી હતી. તેથી અમૃતપાલ સિંહને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ ડિબ્રુગઢ જેલમાં બંધ કરવામાં આવ્યો છે.

સિમરનજીત માન 2022ની પેટાચૂંટણી જીતી ગયા: કટ્ટરવાદી વિચારધારાનું આ વાતાવરણ 2022માં સંગરુર લોકસભાની પેટાચૂંટણી વખતે ફરી એકવાર જોવા મળ્યું હતું. જ્યારે અકાલી દળે પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યા કેસમાં જેલમાં બંધ બલવંત સિંહ રાજોઆનાની બહેનને ટિકિટ આપી ત્યારે સિમરનજીત માનની જીત થઈ હતી. 

આ પછી, કટ્ટરવાદી વિચારધારાનો ફેલાવો વધ્યો હતો. જે અમૃતપાલની પ્રવૃત્તિઓમાં જોવા મળ્યો હતો. અમૃતપાલ સિંહ હજુ પણ જેલમાં હોવા છતાં ખડૂર સાહિબથી લોકસભાની ચૂંટણીમાં જેલમાં રહીને તેમની જીત હાલ ઘણા સંકેતો આપી રહી છે.

આ સમાચાર  પણ વાંચો:  US President Joe Biden Video: આ શું કરી રહ્યા છે અમેરિકી પ્રમુખ? ફરીવાર જો બિડેનની સ્ટેજ પર અજીબ હરકતનો વીડિયો થયો વાયરલ; જુઓ..

આ અંગે રિટાયર્ડ આઈજીએ નિવેદન આપતા કહ્યું હતું કે, પંજાબ એક સરહદી રાજ્ય છે અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા હંમેશા કોઈને કોઈ રીતે રાજ્યમાં અશાંતિ ફેલાવવા અને કટ્ટરપંથીઓની મદદ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પંજાબ પોલીસ બહાદુર છે અને મજબૂત બળ છે તેથી પંજાબમાં કોઈ પણ કિંમતે અશાંતિ ન થઈ શકે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More