Site icon

Raigad landslide: 9 વર્ષના છોકરાના માથે તુટી પડી મોટી આફત… પરિવારના 12 સભ્યો ગુમાવ્યા.. છોકરો આ દુર્ઘટનાથી…. વાંચો અહીંયા આ કરુણ ઘટના..

Raigad landslide: વસંત છેલ્લા ચાર વર્ષથી માંગાવાડી આશ્રમશાળામાં અભ્યાસ કરે છે અને ઉનાળાના વેકેશનમાં ઇર્શાલવાડી પરત ફરતો હતો જ્યાં તે એક મહિનો વિતાવતો હતો

9-year-old boy away at school loses 12 of family

Raigad landslide: 9 વર્ષના છોકરાના માથે તુટી પડી મોટી આફત… પરિવારના 12 સભ્યો ગુમાવ્યા.. છોકરો આ દુર્ધનટાનાથી…. વાંચો અહીંયા આ કરુણ ઘટના..

 News Continuous Bureau | Mumbai 

Raigad landslide: એક 9 વર્ષનો છોકરો જેના પરિવારના 12 સભ્યો ગુમ થઈ ગયા છે અને હવે ઈર્શાલવાડી ભૂસ્ખલન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યાની આશંકા છે, આ છોકરો તેના પર સર્જાયેલી આ દુર્ઘટનાથી અજાણ છે. વસંત પીરકડ નામનો છોકરો, જ્યારે ભૂસ્ખલન થયો ત્યારે કરજત (Karjat) ખાતે આશ્રમશાળા, આદિવાસી બાળકો (Tribal Children) માટેની રહેણાંક શાળામાં હતો, તેને તેના એક સંબંધી દ્વારા શનિવારે ખાલાપુર (Khalapur) લાવવામાં આવ્યો હતો. ભગવાન ગણેશની છાપવાળી ટી-શર્ટ અને વાદળી લાંબી પેન્ટ પહેરીને, ચોથા ધોરણનો વિદ્યાર્થી ચૂપચાપ ઊભો હતો, આસપાસ જોતો હતો. રાહત શિબિરમાં રહેલા લોકોએ કહ્યું કે છોકરાના પરિવાર સાથે શું થયું છે, તેની આ છોકરાને બિલકુલ જાણ નથી. બાળક રાહત શિબિરનાં દૃશ્યો જોઈને મૂંગો ઊભો રહ્યો, પરંતુ એક શબ્દ પણ બોલ્યો નહીં.

Join Our WhatsApp Community

વસંત છેલ્લા ચાર વર્ષથી માંગાવાડી (Mangawadi) આશ્રમશાળામાં અભ્યાસ કરે છે અને ઉનાળાના વેકેશનમાં ઇર્શાલવાડી પરત ફરતો હતો જ્યાં તે એક મહિનો વિતાવતો હતો. જ્યારે એક ગ્રામીણે તેને પૂછ્યું કે તે તેના માતા-પિતાને છેલ્લે ક્યારે મળ્યો હતો, ત્યારે છોકરો કંઈપણ યાદ કરતો ન હતો અને છોકરો તેના ખભા ઉલાળતો તેના નીચલા હોઠ કરડતો ઉભો હતો.

આ સમાચાર પણ વાંચો : Mumbai: બેરોજગાર યુવાનોને રોજગાર માટે મિની ફુડ ટ્રકની જોગવાઈ.. આ સ્થળેથી શરુ થશે મીની ફુડ ટ્રકની સર્વિસ..

શનિવારની શરૂઆતમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે છોકરાના પિતા, મધુ પીરકડનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ પાછળથી તે બહાર આવ્યું કે તે બાળકના પિતાનું શરીર નથી, પરંતુ તે જ નામવાળુ અન્ય એક ગ્રામીણ છે. શનિવારની મોડી સાંજ સુધી આ રિપોર્ટ લખવામાં આવે ત્યાં સુધી તેની માતા, દુગી અને અન્ય લોકો ગુમ હતા. છોકરાની કાકી, પનવેલ (Panvel) નિવાસી માઈ કામ્બડે, શનિવારે ખાલાપુરના નડાલ ગામ, શ્રી ક્ષેત્ર પંચાયતન મંદિરમાં 73 લોકોને આપવામાં આવેલા કામચલાઉ આશ્રયમાં છોકરાને લાવી હતી.

 13 લોકોનો પરિવાર થયો ભુસ્ખલમાં દફન

ભૂસ્ખલન સ્થળ પર રાહત કાર્યમાં રોકાયેલ એનડીઆરએફ (NDRF) ની ટીમે કાટમાળમાંથી મળેલી રોકડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ ઇર્શાલવાડીની ઉપરના કંટ્રોલ રૂમમાં તૈનાત સ્થાનિક પોલીસને સોંપી છે.

માઈ કામ્બડે અને તેના બે સંબંધીઓએ આરોપ લગાવ્યો હતો કે તેના પરિવારના કાટમાળમાંથી મળેલી રોકડ અને સોનું તેમને આપવામાં આવ્યું ન હતું, પરંતુ બદલાપુરના એક સંબંધીએ દાવો કર્યો હતો અને શુક્રવારે સાંજે કીમતી સામાન લઈને ચાલ્યા ગયા હતા. ઉપરાંત, તેમની ત્રણ બાઇક ગુમ છે, તેણીએ જણાવ્યું હતું. 13 ના પરિવારે તેમની રોકડ અને સોનું ઘરે રાખ્યું હતું કારણ કે નજીકમાં કોઈ બેંક નથી..

Chhatrapati Sambhajinagar: સનસનાટી! ભીડની વચ્ચે અચાનક ‘ખૂની ખેલ’, સરેઆમ હત્યાનો ડરામણો વીડિયો CCTV માં કેદ!
Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
Exit mobile version