Site icon

રેલ્વે પ્લેટફોર્મ ટીકીટનો ભાવ 10 ના સીધા 50 રૂપિયા થયો..જાણો રેલ્વે એ કેમ ભાવ વધારવા પડ્યા..!?

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 ઓગસ્ટ 2020

કોરોનાની મહામારી વચ્ચે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટ ને લઇ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે. લોકોનો વિરોધ જોતાં હવે રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. રેલવે ટીકીટ પ્લેટફોર્મ ની કિંમત 50 રૂપિયા રાખવાનો હેતુ સ્ટેશન પર ઉમડતી બિનજરૂરી ભીડને અટકાવવાનો છે. 

કોરોના સંક્રમણ ને જોતા શરૂઆતના દિવસોમાં રેલવેએ આશરે અઢીસો સ્ટેશન પર પ્લેટફોર્મ ટીકીટના ભાવ માં પાંચ ગણો વધારો કર્યો છે. રેલવે પ્લેટફોર્મ ટીકીટના 10 થી વધારીને 50 રૂપિયા કરી દીધા છે અને આ ટિકિટ ફક્ત ઓનલાઇન યુ.પી.એસ એપ્લીકેશન દ્વારા જ ખરીદી શકાય છે. પ્લેટફોર્મ ટિકિટ ખરીદવાના સમયથી બે કલાક સુધી માન્ય ગણાય છે.

 રેલ્વે મુસાફરી માટે પ્લેટફોર્મ ટીકીટના ઉપયોગ માટે ગાર્ડનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે. જે સ્ટેશન પર આવેલા ગાર્ડ પાસેથી મેળવી શકાય છે. પશ્ચિમ રેલવેના તમામ છ ડિવિઝન મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભાવનગર અને રતલામ માં વધારો કર્યો છે. પુણે રેલવે દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્લેટફોર્મ ટીકીટના ભાવ વધારવા પાછળ તેમનો આશય કોરોનાના કાળમાં પ્લેટફોર્મ પર ભેગી થતી ભીડને ટાળવાનો છે અને ભવિષ્યમાં ફરી વધેલા ભાવો ઘટાડી દેવાશે એમ પણ રેલવે દ્વારા કહેવાયું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Pathankot Jammu train disruption: પઠાણકોટ-જમ્મુ તાવી સેક્શનમાં લેન્ડ સ્લાઈડિંગના અવરોધને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે.
IPS Puran Kumar: સ્યુસાઇડ નોટમાં ધડાકો: જાણો IPS પૂરન કુમારે કયા ‘મોટા’ IPS અને IAS અધિકારીઓના નામનો કર્યો ખુલાસો?
Uddhav Thackeray: મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! ઉદ્ધવ-શિંદે સંઘર્ષમાં સંભાજીનગર (Aurangabad) કેમ બન્યું નવું કેન્દ્ર?
PM Modi: ટૂંકા ગાળાના રોજગારલક્ષી અભ્યાસક્રમોથી યુવાનોને  માટે પ્રગતિની સુવર્ણ તક  – પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
Exit mobile version