Raj Thackeray : મરાઠા આંદોલન અને EVM પર રાજ ઠાકરેનું મોટું નિવેદન, ‘મારો સવાલ એ છે કે જો દુનિયામાં…’ જાણો વિગતે..

Raj Thackeray : રાજ ઠાકરેએ શનિવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM) ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે રાજ ઠાકરેએ નિવેદનમાં કહ્યું હતું કે, ઈવીએમના બદલે બેલેટ પેપરથી મતદાન થવુ જોઈએ. મારો પ્રશ્ન એ છે કે, જો વિશ્વમાં દરેક જગ્યાએ મતદાન બેલેટ પેપરથી થાય છે, તો ભારતમાં શા માટે તે ઇવીએમ દ્વારા કરવામાં આવે છે..

by Hiral Meria
Raj Thackeray Raj Thackeray's big statement on Maratha movement and EVM, 'My question is that if in the world...'

News Continuous Bureau | Mumbai 

Raj Thackeray : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ( MNS ) ના વડા રાજ ઠાકરેએ શનિવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો ( EVM ) ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે રાજ ઠાકરેએ નિવેદનમાં કહ્યું હતું કે, ઈવીએમના બદલે બેલેટ પેપરથી ( Ballot paper ) મતદાન થવુ જોઈએ. મારો પ્રશ્ન એ છે કે, જો વિશ્વમાં દરેક જગ્યાએ મતદાન ( voting ) બેલેટ પેપરથી થાય છે, તો ભારતમાં શા માટે તે ઇવીએમ દ્વારા કરવામાં આવે છે. રાજ ઠાકરે લોકસભાની ચૂંટણી ( Lok Sabha elections ) પહેલા રાજ્યભરના તેમના પ્રવાસના ભાગરૂપે કલ્યાણમાં હતા . પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે તેમણે માત્ર EVM પર જ નહીં પરંતુ, રાજ્યની રાજનીતિ અને અન્ય ઘણા મુદ્દાઓ પર નિવેદનો આપ્યા હતા.

રાજ્યની રાજનીતિ અંગે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં રાજકારણની વર્તમાન સ્થિતિ મેં ક્યારેય જોઈ નથી. હવે જનતાએ તેમના પ્રશ્નો તેમની સામે ઉઠાવવા જોઈએ, અન્યથા તેઓ વિચારતા રહેશે કે કોઈ અમારો પીછો નહીં કરે અને જો જનતા સમયસર પગલાં નહીં લે તો મહારાષ્ટ્રનું રાજકારણ ( Maharashtra politics ) હજી વધુ ઉંડાણમાં ધકેલાઈ જશે. આ સિવાય તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ( Maharashtra  )  ફેબ્રુઆરી મહિનામાં જ પાણીની સ્થિતિ ખરાબ થઈ જાય છે, ઘણા ભાગોમાં દુષ્કાળ પડે છે, પરંતુ લોકો દ્વારા આ બધા પર ધ્યાન આપવામાં આવતું નથી, તેના બદલે જાતિને સહારો લેવામાં આવે છે. આ સિવાય મરાઠા ક્વોટા મુદ્દે બોલતા તેમણે કહ્યું કે હવે દુષ્કાળ, બેરોજગારી, કૃષિ સંકટ વગેરે મુદ્દાઓને બદલે જાતિ આધારિત રાજનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  US Election: દક્ષિણ કેરોલિનાની પ્રાથમિક ચૂંટણીમાં ટ્રમ્પની જીત, પ્રમુખપદની ઉમેદવારી હવે લગભગ નિશ્ચિત.

 રાજ ઠાકરેએ શરદ પવાર પર પણ નિશાન સાધ્યું હતું…

દરમિયાન, રાજ ઠાકરેએ શરદ પવાર ( Sharad Pawar ) પર પણ નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે ક્યારેય છત્રપતિ શિવાજી મહારાજનું નામ ન લેનાર શરદ પવાર આજે તેમને યાદ કરે છે. તેમણે કહ્યું કે શરદ પવારે કદાચ છત્રપતિ શિવાજી મહારાજનું નામ એટલા માટે નથી લીધું કારણ કે તેમને લાગતું હતું કે જો તેઓ તેમનું નામ લેશે તો મુસ્લિમોના વોટ તેમની પાસેથી જતા રહેશે. અને હવે તે છત્રપતિ શિવાજી મહારાજને યાદ કરી રહ્યા છે. કારણ કે આપણે આપણા મહાપુરુષોને હવે જાતિઓમાં વહેંચી દીધા છે.

નોંધનીય છે કે, તાજેતરમાં જ રાજ ઠાકરે એનડીએમાં સામેલ થવાની અટકળો ચાલી રહી હતી, જ્યારે મુંબઈ ભાજપના પ્રમુખ આશિષ સોલાર રાજ ઠાકરેને મળ્યા હતા. બંનેની આ મુલાકાત રાજ ઠાકરેના શિવાજી પાર્ક સ્થિત ઘરે થઈ હતી.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More