રાજ ઠાકરેએ એક દિવસ ઉદ્ધવ ઠાકરે નું સ્થાન લેશે. આ સાંસદ સભ્યએ આપ્યું નિવેદન.

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રમાં ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો ખોલનાર અમરાવતીના સાંસદ નવનીત રાણાએ ફરી એકવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

નવનીત રાણાએ કહ્યું છે કે, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્થાન અન્ય કોઈ લઈ શકે નહીં, પરંતુ ઉદ્ધવ ઠાકરેનું સ્થાન રાજ ઠાકરે ચોક્કસ લેશે. 

તેમણે કહ્યું છે કે રાજ ઠાકરેમાં બાળાસાહેબ ઠાકરેની છબી અને આદર્શો જોવા મળે છે. તેઓ આજે પણ બાળાસાહેબની જેમ સંઘર્ષ કરી રહ્યા છે. 

ઉદ્ધવ ઠાકરે સત્તા ખાતર પિતાના સિદ્ધાંતોને છોડી દીધા છે. પરંતુ અમે હજુ પણ તેમની વિચારધારામાં વિશ્વાસ રાખીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને માતોશ્રી પર હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો પડકાર ફેંક્યા બાદ અમરાવતીમાં શિવસૈનિકો આક્રમક બન્યા હતા.  

‘ભૂલ ભુલૈયા 2’ માં અતરંગી અંદાઝ માં ભૂત ભગાડતો જોવા મળશે કાર્તિક આર્યન; જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ અને જુઓ તેનું ધમાકેદાર ટીઝર

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More