ભયાનક અકસ્માત : રાજસ્થાનમાં શ્રીબાલાજી પાસે અકસ્માતમાં મધ્યપ્રદેશના આટલા લોકોના ઘટનાસ્થળે નિપજ્યા મોત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

મંગળવાર 

રાજસ્થાન બીકાનેરમાંથી એક મોટી સડક દુર્ઘટના સામે આવી છે, જ્યાં નાગોરમાં થયેલા એક અકસ્માતમાં 12 લોકો મોત થઈ ગયા છે, જયારે 7 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે

મળતી માહિતી મુજબ, બીકાનેર – જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે આવતા ગામ શ્રી બાલાજી પાસે એક કુઝર ગાડી અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો મધ્યપ્રદેશના સજનખેડાવના દૌલતપુરના રહેવાસી છે અને તેઓ ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા. 

ક્રૂઝરમાં સવાર લોકો રામદેવરા બાબા ધામ અને કરણી માતા મંદિરના દર્શન કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

આખરે અમેરિકાએ અફઘાનિસ્તાન છોડ્યું! આખરી અમેરિકન સૈનિક પ્લેનમાં બેઠો એ તસવીર વાયરલ થઈ, તાલિબાનોએ  હવામાં ફાયરિંગ કરીને મનાવ્યો જશન; જુઓ વીડિયો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More