આ રાજ્યમાં સત્તાધારી પક્ષ ભાજપને મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ 6500 કાર્યકારો સાથે છોડી પાર્ટી

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ત્રિપુરામાં(Tripura) સત્તાધારી ભાજપને(BJP) મોટો ઝટકો મળ્યો છે. ટોચના આદિવાસી નેતા(Top Tribal Leader) હંગશા કુમાર(Hangsha Kumar) આદિવાસી આધારિત પ્રમુખ વિપક્ષી પાર્ટી તિપ્રાહા સ્વદેશી પ્રગતિશીલ ક્ષેત્રીય ગઠબંધનમાં(Tipraha Swadeshi Progressive Regional Coalition) સામેલ થઈ ગયા. ભાજપ અને તેમના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)(IPFT) ના લગભગ ૬૫૦૦ આદિવાસીઓ સાથે, હંગશા કુમાર ઉત્તરી ત્રિપુરાના માનિકપુરમાં(Manikpur) આયોજિત એક જાહેર રેલીમાં ટીઆઈપીઆરએમાં(TIPRA) જોડાઈ ગયા.  

ટીઆઈપીઆરએ સુપ્રીમો અને ત્રિપુરાના પૂર્વ શાહી(Eastern Empire of Tripura) વંશત પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન (Vansat Pradyot Bikram Manikya Deb Burman) સહિત અન્ય લોકોએ જનસભાને સંબોધિત કરી જેમાં હજારો આદિવાસી પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો. તેમણે આ દરમિયાન ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે બધાનો સાથ બધાનો વિકાસ ફક્ત કહેવાની વાત છે. જ્યારે અસલમાં તેનાથી ન તો આદિવાસી કે ન તો રાજ્યના બિન આદિવાસીઓ(Non tribals) પર કોઈ અસર પડી છે.  

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી

હંગશા કુમાર હાલમાં ૩૦ સભ્યોવાળી ત્રિપુરા જનજાતિય ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદ (ટીટીએએડીસી)ના વિપક્ષના નેતા છે, જેને એક મિની વિધાનસભા માનવામાં આવે છે. ટીટીએએડીસીમાં ભાજપના ૯ સભ્ય છે જેને ૬ એપ્રિલ ૨૦૨૧ની ચૂંટણીમાં ટીઆઈપીઆરએએ કબ્જાે કર્યો હતો.  

જ્યારે ટીઆઈપીઆરએએ ગત વર્ષ રાજનીતિક રીતે મહત્વની ટીટીએએડીસી પર કબજાે કર્યો તો ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણી (Assembly elections) પહેલા ત્રિપુરામાં માકપાના નેતૃત્વવાળા ડાબેરી, કોંગ્રેસ(Congress) અને ભાજપના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસ બાદ તે ચોથી મોટી રાજકીય તાકાત બની ગઈ.  

હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ(Chief Spokesperson Subrata Chakraborty) કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જોઈએ કે ભાજપ કેમ છોડ્યો? આવેદન સોંપવા પર ટીઆઈપીઆરએ મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ કહ્યું કે ૨૦૧૮ અગાઉ ભાજપના ચૂંટણી વચનો છેલ્લા ૪.૫ વર્ષોમાં તેમના કામમાં જાેવા મળ્યા નથી. તેમણે કહ્યું કે વર્ષ ૨૦૨૩માં ભાજપ ફરી ખોટા વચનો આપશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના બે-ત્રણ ટોચના નેતા આગામી ૧૫ દિવસમાં મોથામાં જાેડાઈ જશે. બંધારણની છઠ્ઠી અનુસૂચિ મુજબ ૧૯૮૫માં બનેલી ટીટીએએડીસીનું ત્રિપુરાના ૧૦૪૯૧ વર્ગ કિમી ક્ષેત્રના બે તૃતિયાંશ ક્ષેત્રમાં અધિકાર ક્ષેત્ર છે અને અહીં ૧૨,૧૬,૦૦૦ થી વધુ લોકોના ઘર છે જેમાંથી લગભગ ૮૪ ટકા આદિવાસી છે.

આ સમાચાર પણ વાંચો : તારક મહેતાની બબીતાજીનું વર્ષો જૂનું દર્દ આવ્યું બહાર-સોશિયલ મીડિયા પર ચાલેલા અભિયાન દરમિયાન જણાવી હતી પોતાની આપવીતી

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More