Site icon

ગુજરાતના આ શહેરના રાજમાર્ગો પરથી નોનવેજનું દુષણ હટાવવા ઓપરેશન શરૂ, મેયર એ આપ્યા આદેશ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

ગુજરાતના રાજકોટ શહેરના જાહેર માર્ગો પરથી ઈંડા અને નોન વેજની લારીઓ હટાવાઈ છે. 

નાયબ કમિશનર એ.આર. સિંઘ દબાણ હટાવ શાખાના સ્ટાફ સાથે રેડમાં નીકળ્યા હતા અને મુખ્ય માર્ગ પર ઊભેલી તમામ નોનવેજની ગેરકાયદે ધમધમતી લારીઓ બંધ કરાવી હતી તેમજ 4 રેંકડીઓ જપ્ત કરી હતી. 

નાયબ કમિશનરે કહ્યું હતું કે, આ તમામને અગાઉ સૂચના અપાઈ હતી કે મુખ્ય માર્ગ પર આ રીતે વેચી શકાશે નહિ આમ છતાં અમુક તત્ત્વોએ રોડ પર લારીઓ રાખતા કાર્યવાહી કરાઈ છે.

રાજકોટના મેયર પ્રદીપ ડવના આદેશ બાદ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે. 

ઉલ્લેખનીય છે કે નોનવેજની લારીઓ દૂર કરવા માટે 10 દિવસ પહેલા જ પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠકમાં મેયર પ્રદીપ ડવે સ્પષ્ટ સૂચના આપી હતી કે, જાહેર માર્ગ, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે નોનવેજના હાટડા બંધ કરવાની કાર્યવાહી કરવી. 

 

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version