ઉંદર હત્યાકાંડ: 225 રૂપિયામાં પોસ્ટમોર્ટમ થયું, મૃતદેહને એસી વાહનમાં બરેલી લઇ જવાયો, તો ચાર્જશીટમાં આવ્યો અધધ આટલા હજારનો ખર્ચ

પોસ્ટમોર્ટમ માટે રૂ. 225ની રસીદ કાપવી પડી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે 30 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં પણ ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો.

by kalpana Verat
Rat Murder Case Rat Postmortem Was Rs 225, Dead Body Was Taken To Bareilly In An AC Vehicle

News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશના બદાયુ જિલ્લામાં ઉંદર હત્યાનો મામલો ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટના આધારે પોલીસે ઉંદર મારવાના કેસમાં કોર્ટમાં 30 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈતિહાસમાં આ પહેલો કેસ છે જેમાં ઉંદર માર્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હોય. સાથે જ હવે ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી છે. આ સાથે ઘટનાક્રમ પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ઘટના બાદ ઉંદરના મોતનું કારણ જાણવા તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો 225 રૂપિયામાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. તેના મૃતદેહને એસી વાહનમાં બરેલી લઈ જવામાં આવ્યો હતો. નવેમ્બર 2022 માં, સદર કોતવાલી વિસ્તારના પાનબારિયા પાસે રહેતા એક વ્યક્તિ એક પથ્થર બાંધીને ઉંદરને ઘણી વખત ગટરમાં ડુબાડ્યો, જેના કારણે ઉંદર મરી ગયો.

આરોપી જ્યારે ઉંદરને મારી રહ્યો હતો ત્યારે પ્રાણી પ્રેમી વિકેન્દ્ર શર્મા ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે વિકેન્દ્રએ નારાજગી વ્યક્ત કરી ત્યારે આરોપી સાથે બોલાચાલી થઈ હતી. આ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો અને પ્રાણી પ્રેમીએ આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની ફરિયાદ કરી. પોલીસે ઘટનાસ્થળેથી ઉંદરને શોધી કાઢ્યો હતો, જોકે ત્યાં સુધીમાં તે મરી ગયો હતો.

આ સમાચાર પણ વાંચો:   ઓહ માય ગોડ!માયોસિટિસનું નિદાન થયા પછી, સમન્થા રૂથ પ્રભુએ હવે ગુમાવ્યો પોતાનો અવાજ, અભિનેત્રી એ સ્વાસ્થ્ય ને લઇ ને આપ્યું મોટું અપડેટ

આ પછી ઉંદરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ગયા વર્ષે 25 નવેમ્બરે જ્યારે ઉંદરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરેલીના આઈવીઆરઆઈમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેના શરીરને બગડે નહીં તે માટે એસી કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વિકેન્દ્ર કહે છે કે તેને એસી કારમાં બરેલી લઈ જવામાં આવ્યો, જ્યાં પોસ્ટમોર્ટમ માટે રૂ. 225ની રસીદ કાપવી પડી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે 30 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં પણ ચારથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો.

ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી એટલે ગુનો દાખલ થયો

જ્યારે ઉંદર ઘરો, સંસ્થાઓ અને ખેતરોને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેમને મારવા માટે દવા રાખવામાં આવે છે. આ માટે ન તો કોઈ પરવાનગી લેવામાં આવે છે અને ન તો કોઈ ગુનો નોંધવામાં આવે છે. પરંતુ, જો કોઈ જીવની ક્રૂરતાથી હત્યા કરવામાં આવે તો તે અપરાધની શ્રેણીમાં આવે છે. આ ઉંદરને ડૂડાળીને ક્રૂર રીતે મારવામાં આવ્યો હતો, તેથી તે ગુનો છે. ચાર્જશીટમાં કલમોના આધારે સજા નક્કી કરવામાં આવશે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More