Ratan Tata Death: ઓમ શાંતિ: ભારતના અનમોલ ‘રતન’ ટાટાનું નિધન, આજે મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ;  અહીં કરવામાં આવશે અંતિમ સંસ્કાર.. 

Ratan Tata Death: ટાટા ગ્રુપના ચેરમેન અને વરિષ્ઠ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે રાત્રે આ દુનિયાને અલવિદા કહ્યું. 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લેનાર રતન ટાટાને નાદુરસ્ત તબિયતના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા જ તેમણે પોતાના સ્વાસ્થ્ય અંગે કોઈપણ પ્રકારની અફવાઓને અવગણીને પોતાને સ્વસ્થ જાહેર કર્યા હતા. 

by kalpana Verat
Ratan Tata Death Ratan Naval Tata Passes Away , Day of mourning announced in Maharashtra today

 News Continuous Bureau | Mumbai

Ratan Tata Death: દેશના અગ્રણી ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબર બુધવારે રાત્રે 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું છે. તેમના ચેકઅપ માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી મળતા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા.

Ratan Tata Death: આજે  મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ 

મળતી માહિતી મુજબ, રતન ટાટાના પાર્થિવ દેહને કોલાબા સ્થિત તેમના ઘરે લઈ જવામાં આવ્યો છે. હવે સવારે 9.45 વાગ્યે તેમના પાર્થિવ દેહને કોલાબાથી નરીમાન પોઈન્ટ ખાતે એનસીપીએ લઈ જવામાં આવશે. રતન ટાટાના પાર્થિવ દેહને અહીં સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. આ પછી વર્લીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે મહારાષ્ટ્રના તમામ સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

Ratan Tata Death: મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

સીએમ એકનાથ શિંદેએ કહ્યું, ભારતના રત્ન રતન ટાટા હવે રહ્યાં નથી, આ દરેક માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે. મોટી સંખ્યામાં લોકો તેમનાથી પ્રેરિત અને પ્રોત્સાહિત થયા. તેઓ મહારાષ્ટ્રનું ગૌરવ છે. તેમણે હજારો લોકોને મદદ કરી. રતન ટાટા આપણા દેશના કોહિનૂર હતા તે દેશભક્ત અને દેશ પ્રેમી હતા.

આ સમાચાર પણ વાંચો: Haryana Election Result Congress : ‘હરિયાણામાં અણધાર્યા પરિણામ, ચૂંટણી પંચ પાસે જશે…’ પરિણામો પર પહેલીવાર બોલ્યા રાહુલ ગાંધી…

સીએમ એકનાથ શિંદેએ કહ્યું, તેમના સંબંધીઓએ કહ્યું છે કે તેમના મૃતદેહને સવારે 10 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી દર્શન માટે એનસીપીએમાં રાખવામાં આવશે. મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે, ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે આજે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

Ratan Tata Death: રતન ટાટાનો જન્મ 1937માં થયો હતો

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ થયો હતો. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેમણે અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી આર્કિટેક્ચર અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. 1962માં ટાટા ગ્રુપમાં જોડાતા પહેલા રતન ટાટાએ અમેરિકામાં થોડો સમય કામ કર્યું હતું. 1981માં તેમને ટાટા ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન બનાવવામાં આવ્યા. 1991માં જેઆરડી ટાટાની નિવૃત્તિ પછી, રતન ટાટાએ ટાટા સન્સના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More