ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર, 2021
શુક્રવાર
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મહારાષ્ટ્રની વધુ એક બેંક પર નિયંત્રણો લાદ્યા છે. આ વખતે RBIએ મહારાષ્ટ્રની મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક પર નિયંત્રણો લાદી દીધા છે. બગડતી નાણાકીય સ્થિતિને કારણે આ સહકારી બેંક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આરબીઆઈએ ખાતાધારકો માટે રકમ ઉપાડની મર્યાદા નક્કી કરી છે. તે અનુસાર મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેંકના ખાતાધારકો ખાતામાંથી 10,000 રૂપિયાથી વધુ રકમ ઉપાડી શકશે નહીં. આ સિવાય પણ બેંક પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ રિઝર્વ બેંક મલકાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક આરબીઆઈની પૂર્વ મંજૂરી વિના કોઈપણ લોનનું રિન્યુ કરશે નહીં, રોકાણ કરશે નહીં અથવા કોઈપણ જવાબદારી પૂરી કરશે નહીં. મલકાપુર અર્બન કો-ઓપરેટીવ બેંકની મંજુરી વગર કોઈ પણ વ્યક્તિ પેમેન્ટ કરી શકશે નહીં. આરબીઆઈએ તેના નિવેદનમાં બચત અથવા ચાલુ ખાતા અથવા થાપણકર્તાના અન્ય કોઈપણ ખાતામાં કુલ બેલેન્સમાંથી 10,000 રૂપિયાથી વધુ ઉપાડવાની મંજૂરી ન આપવાનું પણ કહ્યું છે.
Paytmમાં રોકાણ કરનારા દિવસો સારા આવશે? આ દિગ્ગજ કંપનીઓએ Paytmમાં કર્યું રોકાણ; જાણો વિગત
આરબીઆઈના મીડિયાને જણાવ્યા અનુસાર, બુધવારે કારોબાર બંધ થયા બાદથી છ મહિના સુધી પ્રતિબંધો અમલમાં રહેશે. જોકે સેન્ટ્રલ બેંકે કહ્યું કે આ સહકારી બેંકને નિર્દેશ જારી કરવાનો અર્થ બેંકિંગ લાયસન્સ રદ કરવા તરીકે ન કરવો જોઈએ. એટલે કે મલકાપુર અર્બન કો-ઓપરેટીવ બેંકનું લાયસન્સ રદ થયું નથી.
જ્યાં સુધી તેની નાણાકીય સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બેંક પ્રતિબંધો સાથે બેંકિંગ વ્યવસાય કરવાનું ચાલુ રાખશે. આરબીઆઈના નિવેદનમાં પણ આ માહિતી આપવામાં આવી છે. રિઝર્વ બેંક સંજોગોના આધારે આ નિર્દેશોમાં સુધારો કરવાનું વિચારી શકે છે. આરબીઆઈ પરિસ્થિતિ અનુસાર નિયંત્રણોને વધુ હળવા કરી શકે છે.
તાજેતરમાં RBIએ લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક સોલાપુર પર નિયંત્રણો લાદ્યા છે. તે બેંકમાં ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા માત્ર 1,000 રૂપિયા હતી. બેંકની નાણાકીય સ્થિતિ કથળવાને કારણે આરબીઆઈએ નિયંત્રણો લાદ્યા હતા. અગાઉ બાબાજી દાતે મહિલા સહકારી બેંક પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. મલ્કાપુર અર્બન કો-ઓપરેટિવ બેંક મહારાષ્ટ્રની ત્રીજી આવી સહકારી બેંક છે, જેના પર નવેમ્બર મહિનામાં જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.