Site icon News Continuous Bureau | Mumbai

Ram Mandir: રામ મંદિરમાં રામલલાના દર્શન માટે અયોધ્યા જતા પહેલા વાંચો આ મહત્ત્વની વાતો.. પાર્કિંગથી લઈને મંદિરમાં દર્શન સુધી શું છે નિયમો..

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં લગભગ 28 લાખ ભક્તોએ રામલલાના દર્શન કરી લીધા છે. ત્યારે જો તમે પણ રામ મંદિર જવા માંગતા હોય તો, અહીં અપેલી જરુરી વાતો જરુરથી વાંચી લો. જેથી રામલલાના દર્શન સમયે તમને કોઈ સમસ્યા ન થાય…

Read these important things before going to Ayodhya for darshan of Ramlala in Ram Mandir, What are the rules from parking to darshan in the temple

Read these important things before going to Ayodhya for darshan of Ramlala in Ram Mandir, What are the rules from parking to darshan in the temple

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલા બિરાજમાન થઈ ગયા છે. રામ મંદિરના પ્રવેશ દ્વાર હવે ભક્તો માટે ખોલવવામાં આવ્યા છે. ત્યારથી જ ભક્તોની ( devotees ) ભારી ભીડ ઉમટી પડી છે. 3 ફેબ્રુઆરી સુધી દર્શન કરનારા રામ ભક્તોની સંખ્યા લગભગ 28 લાખને વટાવી ગઈ છે. રામનગરીમાં દરરોજ 3 લાખથી વધુ લોકો મંદિરના દર્શન ( Darshan ) કરવા આવી રહ્યા છે. તેથી જો તમે અયોધ્યા જવાનું વિચારી રહ્યા છો. તો જતા પહેલા આ સૂચનાઓ અવશ્ય વાંચો… 

Join Our WhatsApp Channel

1. અયોધ્યામાં ( Ayodhya ) બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો તમે તમારી પોતાની કારમાં અયોધ્યા જઈ રહ્યા છો, તો તમારે મુખ્ય રાજમાર્ગ પરથી જ તમારી કાર અયોધ્યાની બહાર પાર્કિંગમાં પાર્ક કરવી પડશે. ત્યાંથી મંદિર લગભગ 3 કિલોમીટર દૂર છે.

2. પાર્કિંગની બહારથી, જો તમે ચાલતા ન જવુ હોય તો. તમને એક ઈ-રિક્ષા મળી રહેશે. જે તમને મંદિરની લગભગ અડધો કિલોમીટર પહેલાં ઉતારશે, સુરક્ષાને કારણે, રસ્તાઓ પર ટ્રાફિક બદલાતો રહે છે, તેથી તમારે થોડું ચાલવું પડશે, તેથી ઓછામાં ઓછું 2 થી 3 કિલોમીટર. ચાલવા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર રહો

3. અયોધ્યામાં મોટી સંખ્યામાં બજેટ ફ્રેંડલી હોટલ અને ધર્મશાળાઓ છે, તેથી ઓછા બજેટ વાળી હોટલોમાં રહેવામાં તમને કોઈ સમસ્યા આવશે નહીં.

4. જો તમે મંદિરમાં ( Ayodhya Ram Mandir ) દર્શન માટે જાઓ છો, તો તમારા ખિસ્સામાં માત્ર પૈસા જ રાખવાનો પ્રયાસ કરો. કારણ કે મંદિરમાં મોબાઈલ, ઘડિયાળ, પેન, ચાવી વગેરે લઈ જવાની મનાઈ છે. સુરક્ષા તપાસ પહેલા મંદિરમાં લોકર રૂમ છે. જ્યાં તમે તમારો સામાન જમા કરાવી અને પછી જ આગળ જઈ શકશો.

આ સમાચાર પણ વાંચો :  PM Modi Assam Visit : PM નરેન્દ્ર મોદી એ આસામમાં કર્યો મેગા રોડ શો, જનતાને આપી અધધ 11,600 કરોડની ભેટ..

5. જો તમે તમારો સામાન લોકર રૂમમાં રાખી રહ્યા છો, તો ત્યાં ભીડને કારણે તમને લગભગ એકથી દોઢ કલાક જેવો સમય લાગી શકે છે. પરંતુ જો તમે પહેલેથી જ તમારો બસો સામાન હોટલમાં કે કારમાં મૂકી દીધો છે. તો તમે માત્ર 20 થી 30 મિનિટમાં દર્શન કરીને મંદિરની બહાર આવી શકો છો.

6. સિક્યોરિટી ચેકીંગ પછી, જ્યારે તમે મંદિરમાં પ્રવેશો છો, મંદિરની સીડીઓ ચઢતા જ તમને દૂરથી રામલલાના દર્શન થવા લાગે છે. તમે પહેલા હૉલમાંથી પસાર થાઓ છો અને પાંચમા હૉલમાં રામલલાના દર્શન કરો છો. ભીડને કારણે તમને ત્યાં ઊભા રહેવા દેવામાં આવશે નહીં, લાઇન સતત આગળ ચાલતી રહેશે અને તેમાં જ તમારે દર્શન કરવાના રહેશે, તેથી પહેલા હોલમાં જ તમારું ધ્યાન રામલલા પર કેન્દ્રિત કરો. જેથી પછી તમને યોગ્ય રીતે દર્શન ન થયાનો અફસોસ ન થાય.

7. મંદિર પરિસરમાંથી બહાર નીકળતી વખતે, મંદિર પ્રશાસન દ્વારા તમને મફતમાં પ્રસાદ આપવામાં આવે છે, બહાર નીકળતી વખતે આ વાતનું ધ્યાન રાખો અને તમારો પ્રસાદ અવશ્ય લો.

8. આ સમયે અયોધ્યામાં ખૂબ જ ઠંડી છે, કપડાં પેક કરતી વખતે ગરમ કપડા રાખવાનું ચુકતા નહીં..

MahaTET Exam પેપર લીક બાદ હવે મહારાષ્ટ્ર TET પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય, IBPS ને સોંપાઈ જવાબદારી
E20 Ethanol Fuel E20 ઈથેનોલ પેટ્રોલને લઈને સોશિયલ મીડિયા પર ફેલાયેલા ભ્રમનો અંત, સરકાર અને ઓટો કંપનીઓએ આપી સ્પષ્ટતા
Kedarnath Mule Operators કેદારનાથમાં શ્રદ્ધાળુઓ સાથે ગેરવર્તન, ખચ્ચર ચાલકો સામે વહીવટીતંત્ર લાલઘૂમ, લેવાશે કડક પગલાં!
Stray Dog રખડતા શ્વાનના આતંક પર મહારાષ્ટ્ર સરકાર ગંભીર નિયંત્રણ માટે કડક પગલાં અને નવા શેલ્ટરની કરી જાહેરાત
Exit mobile version