Site icon

શિવસેનાની મુશ્કેલીમાં વધારો-મુંબઈમાં મહત્વનો ગઢ ગણાતા આ વિસ્તારના ધારાસભ્ય અને કાર્યકર્તાઓના પદ પરથી આપ્યા રાજીનામા

News Continuous Bureau | Mumbai

શિવસેનાનો(Shivsena) ગઢ ગણાતા  મુંબઈનો(mumbai) મહત્વનો મધ્યવર્તી વિસ્તાર દાદરમાં(dadar) જ પક્ષને મોટો ફટકો પડયો છે. એકનાથ શિંદેના ગ્રુપમાં(Eknath Shinde group) જોડાઈ ગયેલા બળવાખોર ધારાસભ્ય સદા સરવણકરે(Rebel MLA Sada Sarvankar) મંગળવારે શિવસેનાના વિભાગ પ્રમુખ પદ(Department President) પરથી રાજીનામું(resignation) આપ્યું હતું. તેમની સાથે દાદરના શાખા પ્રમુખ સહિત પક્ષના અન્ય હોદેદારો પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું.

Join Our WhatsApp Community

શિવસેના અને પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)  માટે આ બહુ મોટો ફટકો કહેવાય છે. શિવસેના મૂળિયા જ મૂળ દાદરના મધ્યવર્તી મરાઠી વિસ્તારમાં નંખાયા હતા અને હવે દાદરમાં પક્ષના કાર્યકર્તાઓના રાજીનામા બાદ આગામી દિવસોમાં તેની વધુ અસર પક્ષને થઈ શકે છે. સદા સરવણકરની સાથે દાદર શાખા સાથે જોડાયેલી અનેક મહિલા શિવસૈનિકોએ(Shiv Sainiks) પણ પક્ષના રામ રામ ઠોકીને શિંદે ગ્રુપમાં જોડાઈ ગઈ છે.

સદા સરવણકર માહિમના(Mahim MLA) ધારાસભ્ય છે, જ્યાં  શિવસેના ભવન(Shiv Sena Bhavan) આવેલું  છે અને જ્યા શિવાજી પાર્કમાં(Shivaji Park) પક્ષના સ્થાપક બાળ ઠાકરેનું(Bal Thackeray) મેમોરિયલ(Memorial) આવેલું છે.

આ સમાચાર પણ વાંચો : ગુજરાત રમખાણોના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ પૂર્વ IPS અધિકારીની કરી ધરપકડ- આજે કોર્ટમાં રજૂ કરાશે- જાણો વિગતે

પક્ષના તમામ હોદા પરથી રાજીનામું આપનારા લોકોએ પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે જેમા તેમણે લખ્યું છે 2019માં ભાજપ(BJP) સાથે શિવસેના લડી હતી. પરંતુ સત્તા માટે પક્ષે કોંગ્રેસ(Congress) અને રાષ્ટ્રવાદી(NCP) સાથે યુતી કરી હતી. સરકાર બન્યા બાદ પણ પક્ષને અને તેમના મતવિસ્તારને કોઈ ફાયદો થયો નથી. તમારી સરકાર બન્યા બાદ પણ અમારા કામ થયા નથી. તેથી હવે પક્ષ છોડી રહ્યા છે. હિન્દુ હૃદય સમ્રાટ બાળ ઠાકરે સદાય અમારા સાથે રહેશે.

અત્યાર સુધી 40 ઘારાસભ્યોએ પક્ષ સામે બળવો કર્યો છે. છતાં પક્ષના ગ્રાસરૂટના કહેવાતા પદાધિકારીઓ હજી સુધી પક્ષ સાથે જ જોડાયેલા છે. શિવસેનાએ દાવો કર્યો હતો કે ધારાસભ્યોએ બળવો કર્યો છે પણ ગ્રાસરૂટના પદાધિકારીઓ હજી સુધી પક્ષ સાથે વફાદાર રહ્યા છે. પરંતુ મંગળવારના બનાવ બાદ હવે ઉદ્ધવ ઠાકરેનું ટેન્શન હજી વધી ગયું છે.
 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version