ઠાકરે સરકારના નવા નિયમને કારણે ટ્રાન્સપોર્ટરોને પારાવાર મુશ્કેલીઓ; કેટલી વાર કોરોના ટેસ્ટ કરાવવો? 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 મે 2021

શુક્રવાર 

મહારાષ્ટ્ર સરકારે પહેલી જૂન સવારે 07:00 વાગ્યા સુધી લાગુ રહેનાર 'બ્રેક ધ ચેઇન'નો આદેશ જાહેર કર્યો છે. આ નવા આદેશ મુજબ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરનાર દરેક વ્યક્તિએ રાજ્યમાં પ્રવેશ કરતાં અગાઉ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ ન્યૂનતમ ૪૮ કલાક પહેલાં કરાવવો જરૂરી છે. આ પરિસ્થિતિમાં સૌથી વધારે તકલીફ ટ્રાન્સપોર્ટરોને થઈ રહી છે. વાત એમ છે કે માલની હેરફેર કરનાર ટ્રાન્સપોર્ટની ટ્રકો ૨૪ કલાક દરમિયાન એક રાજ્યથી બીજા રાજ્યમાં પ્રવાસ કરતી હોય છે. આ ઉપરાંત તેઓ વળતો પ્રવાસ પણ કરે છે. આ સમય દરમિયાન જો તેઓ વારંવાર ટેસ્ટ કરાવવા બેસે તો તેમનો ઉદ્યોગ ચાલી શકે એમ નથી. આ પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટરોએ શું કરવું એ માટે અવઢવમાં છે.

કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષનુ કોરોનાથી નિધન

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેમને આ નિયમમાંથી બાકાત રાખવા જોઈએ, પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારે આ સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. જેને કારણે આવનારા દિવસોમાં અનેક વસ્તુઓની સપ્લાય અવરોધાઈ શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More