Mangal Prabhat Lodha : મહારાષ્ટ્રમાં છત્રપતિ શાહુ મહારાજ કારકિર્દી માર્ગદર્શન શિબિરનો પુન:પ્રારંભ, રાજ્યનાં કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કર્યું તેનું ઉદ્ઘાટન.

Mangal Prabhat Lodha : છત્રપતિ શાહુ મહારાજ યુવા શક્તિ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ ફરી એકવાર રાજ્યભરમાં ૧૦ જૂનથી કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો.

by Hiral Meria
Mangal Prabhat Lodha, Chhatrapati Shahu Maharaj Yuvashakti Career, Guidance camp, Maharashtra, students, news continuous 

News Continuous Bureau | Mumbai

Mangal Prabhat Lodha : છત્રપતિ શાહુ મહારાજ યુવા શક્તિ કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ ફરી એકવાર રાજ્યભરમાં ૧૦ જૂનથી કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. આ માર્ગદર્શન શિબિરનું ( Guidance camp ) કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢા દ્વારા ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ સરકારી તાલીમ સંસ્થા, ઔધ દ્વારા પંડિત ભીમસેન જોશી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. 

( Chhatrapati Shahu Maharaj Yuvashakti Career ) કાર્યક્રમ ૧૦ જૂનથી મહારાષ્ટ્રમાં ( Maharashtra ) ૩૫૦ સ્થળોએ હાથ ધરવામાં આવશે, જેના દ્વારા યુવાનોને યોગ્ય કારકિર્દી અને શિક્ષણની તકો પસંદ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં વિધાર્થીઓ, યુવાનો અને વાલીઓને કારકિર્દીની વિવિધ તકો અંગે કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે.

કોલેજનું શિક્ષણ અને ધોરણ ૧૦, ૧૨ પછીના અભ્યાસક્રમો, કોલેજના અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા, સમયબદ્ધ કસોટી, શૈક્ષણિક શિષ્યવૃત્તિ યોજના અને લોન યોજનાની માહિતી વિવિધ ક્ષેત્રના તજજ્ઞોનું માર્ગદર્શન વગેરે વિષયો પર માર્ગદર્શન મળશે. ભવિષ્યમાં રોજગારની તકો, વ્યક્તિત્વ વિકાસ, બાયોડેટાની તૈયારી, ઇન્ટરવ્યુની તૈયારી, નવી ટેક્નોલોજી આધારિત તાલીમ અને રોજગારની તકોનું માર્ગદર્શન આપવામાં આવશે. વિદ્યાર્થીઓ આ તકનો લાભ લેવા માટે સ્થાનિક ITIનો સંપર્ક કરી શકે છે.

આ સમાચાર  પણ વાંચો:  Lok Sabha Session : 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ, 2024 દરમિયાન યોજાશે

આ પ્રસંગે કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાએ વિધાર્થીઓને ( students ) અભિનંદન પાઠવ્યા હતા. આ તકનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં ૮૦૦ થી વધુ વિધાર્થીઓએ હાજરી આપી હતી. કારકિર્દીની પસંદગી કરતી વખતે કૌશલ્ય પ્રશિક્ષણ પણ એટલું જ મહત્વનું છે. આ હેતુ માટે માર્ગદર્શન સાથે આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્રો કૌશલ્ય વિકાસ વિભાગ દ્વારા ૧૦૦૦ કોલેજોમાં સ્થાપવામાં આવશે. સાથે જ વિધાર્થીઓને વિદેશમાં રોજગારીની તકો પૂરી પાડવા માટે દરેક મહેસૂલ વિભાગમાં કૌશલ્ય વિકાસ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Join Our WhatsApp Community

You may also like