Site icon

મહારાષ્ટ્ર માં NCP ના જે નેતા ને ભાજપના નજીકના માનવામાં આવતા હતા તેણે જ ભાજપના પાંચ કોર્પોરેટરને ફોડ્યા.. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

02 ઓક્ટોબર 2020

એનસીપીના યુવા નેતા અને ધારાસભ્ય રોહિત પવારે ભાજપને જોરદાર ઝટકો આપ્યો છે. કરજત-જામખેડ મત વિસ્તારના ભાજપના પાંચ કોર્પોરેટરો એનસીપી જૂથમાં જોડાયા છે. જેમાં કરજતનાં 3 અને જામખેડનાં 2 ભાજપનાં કોર્પોરેટરો શામેલ છે. જામખેડ પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને વર્તમાન કોર્પોરેટર મહેશ નિમોનકર સહિત ભાજપના ત્રણ કોર્પોરેટરોએ એનસીપીની ઘડિયાળ પહેરી છે.. ભાજપ છોડનાર સભ્યો નો આરોપ છે કે તેઓના વિસ્તારમાં જે રીતે ભાજપ શાસન કરી રહી છે અને વિકાસના કામો અટકી પડયા છે તેનાથી તેઓ નાખુશ છે.

કરજત જામખેડ વિધાનસભા મત વિસ્તારના પ્રમુખ પ્રા. મધુકર રાલભટ, પૂર્વ અધ્યક્ષ સુભાષ અવધડ, એનસીપીના વરિષ્ઠ નેતા સૂર્યકાંત મોરે, તાલુકા ઉપપ્રમુખ દયાનંદ કથલે, સતિષ ચવ્હાણ, બાપુરાવ શિંદે, અમોલ જાવેલે, પિન્ટુ કાલે, અશોક ધેંડે દાદાસાહેબ ભોરે, અમિત જાધવ, આસિફ શેખની ઉપસ્થિતિમાં જામખેડ નગરપાલિકાના ઉપ-મેયર અને વર્તમાન કાઉન્સિલરો મહેશ નિમોનકર, મોહન પવાર અને રાજેશ વહાલ- બધાએ એક પત્રકાર પરિષદમાં એનસીપીમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

એનસીપી તાલુકા પ્રમુખ કાકાસાહેબ તાપકીર અને એનસીપી યુથ કોંગ્રેસના પ્રમુખ નીતિન ધાંડેએ એનસીપીમાં તમામને આવકાર્યા હતા. ધારાસભ્ય રોહિત પવારના જન્મદિવસ પ્રસંગે બાપુ સાહેબ નેટકેએ કહ્યું હતું કે તેમની પાર્ટીમાં વધુ પ્રવેશ લેવામાં આવશે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version