Site icon

હવે કોરોના ટેસ્ટ રિપોર્ટ ની વેલીડીટી આટલા દિવસ ની રહેશે. સરકારે કરી મોટી જાહેરાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૪ એપ્રિલ 2021
રવિવાર

મહારાષ્ટ્ર સરકારે કોરોના ટેસ્ટ રિપોર્ટ એટલે કે RT PCR ટેસ્ટની કાયદેસરની માન્યતા પર નવો નિયમ બનાવ્યો છે.

Join Our WhatsApp Community


અત્યાર સુધી કોરોના માટે રેપિડ ટેસ્ટ તેમજ કોરોના ટેસ્ટ કરવામાં આવતો હતો. આ બે માંથી સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જરૂરી એવો ટેસ્ટ છે RT pcr test. જોકે આ ટેસ્ટની કાયદેસરની માન્યતા કેટલી રહેશે તે સંદર્ભે અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ નિયમ છે. હવે મહારાષ્ટ્ર સરકારે આ સંદર્ભે સ્પષ્ટતા કરી છે. સરકારી નિયમ મુજબ હવે ટેસ્ટ કરાવ્યા ના 15 દિવસ સુધી આ ટેસ્ટ રિપોર્ટ માન્ય રહેશે. ત્યારબાદ આ ટેસ્ટ રિપોર્ટ વધુ એક વખત કઢાવવા પડશે. આ ઉપરાંત રેપીડ એન્ટીજન ટેસ્ટની હવે કોઈ વધારે પડતી કાયદેસરની માન્યતા રહી નથી. આમ હવે જે કોઇ વ્યક્તિને બહારગામ જવું હશે અથવા કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હશે તો તેણે આ પ્રમાણે પોતાના ટેસ્ટ કરાવવા પડશે.

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version