Salangpur Hanuman Ji : જય હો કષ્ટભંજન દેવની… સાળંગપુરના કષ્ટભંજનદેવ મંદિર ખાતે દાદાને મહારાષ્ટ્રની ફેમસ રત્નાગીરી કેરીનો અન્નકુટ, એક ક્લિકમાં કરો દર્શન, જુઓ ફોટોસ..

Salangpur Hanuman Ji : ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વવિખ્યાત છે. આ મંદિર 200 વર્ષથી વધુ જૂનું છે.

News Continuous Bureau | Mumbai

Ratnagiri mango annakut at shree kashtabhanjan dev hanuman mandir salangpur in botad

Join Our WhatsApp Community

 Salangpur Hanuman Ji : ગુજરાતમાં(Gujarat) એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં હનુમાનજી (Hanuman ji ) ના ભવ્ય મંદિરો આવેલા છે. પરંતુ સૌથી વધુ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર હોય તો તે છે સાળંગપુર ( Salangpur )  કષ્ટભંજન હનુમાન દાદાનુ મંદિર. 

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ગામે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે 2400 કિલો મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીનો મહાઅન્નકૂટ ધરાવાયો છે. 

 

પૂજારી ધર્મકિશોર સ્વામીના જણાવ્યાનુસાર આ રત્નાગીરી કેરીના એક બોક્સમાં સાડા ચાર કે, પાંચ ડઝન કેરી છે. આ કેરી ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : Hanuman Chalisa Gujarati : બજરંગબલીને પ્રસન્ન કરવા વાંચો હનુમાન ચાલીસા, બધી પરેશાનીઓ અને પીડાઓ થશે દૂર…

 

રંગબેરંગી ઓર્કિડ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ હનુમાનજીને 15 કિલોના ચાંદીના 1 લાખ 8 હજારથી વધુ ડાયમંડવાળા વાઘા પણ પહેરાવામાં આવ્યા છે. 

અહીં લોકો હનુમાન દાદા દર્શન કરવા તેમજ પોતાની આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા આવે છે. 

 

ઉલ્લેખનીય છે કે આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે અને દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવા અને શ્રીફળ ચડાવવા આવે છે.

 

 

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version