Site icon News Continuous Bureau | Mumbai

એક સમયે ઠાકરે પરિવારના ખાસમખાસ એવા એક નેતાએ ઠાકરે પરિવાર પર ઇડીની તપાસ માંગી. જાણો કોણ છે એ નેતા..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

10 જુલાઈ 2020

રાજકારણમાં પાસા ગમે ત્યારે પલટી જતાં હોય છે..મુંબઈની રાજનીતિ મા ફરી ગરમાટો જોવા મળી રહ્યો છે. એક સમયે ઠાકરે પરિવારના ખાસમખાસ ગણાતા અને હવે કોંગ્રેસ માંથી સાઈડ લાઈન થઈ ગયેલા નેતા સંજય નિરૂપમે હવે ઠાકરે પરિવાર પર પૈસાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તપાસની માંગ કરી છે. CM ઉદ્ધવ ઠાકરેના બાંદ્રા ના કલા નગર ખાતે બનેલા નવ બંગલાને લાઇ આ સવાલ ઉઠાવ્યા છે.

નિરૂપમે ગુરુવારે કરેલાં શ્રેણીબદ્ધ ટ્વિટમાં, મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ઇડી ડિરેક્ટરને મની લોન્ડરિંગ કેસમાં જવાબ મેળવવા માટે પોતાનું ધ્યાન મુંબઇ તરફ વાળવા કહ્યું છે. નિરુપમે ટ્વિટ કર્યું હતું કે, "સ્ટર્લિંગ બાયોટેક મની લોન્ડરિંગ તપાસમાં દિલ્હીમાં અહેમદ પટેલના પ્રશ્નો સમાપ્ત થયા હોય તો, હવે પોતાનું ધ્યાન મુંબઈ તરફ વાળવું જોઈએ. કેમકે રાજભૂષણ દીક્ષિત અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન વચ્ચે થયેલાં સંપત્તિના સોદાની તપાસ થાય તો તેમને કેટલાક જવાબો મળી શકે એમ છે. "

ઉદ્ધવ ના નવા બંગલાની જમીન રાજભુષણ દીક્ષિત પાસેથી ખરીદવામાં આવી હતી જે બેંક સાથેની છેતરપીંડી મા સંડોવાયેલ છે. મુખ્યમંત્રી અને તેમના કુટુંબ દ્વારા માત્ર 10 હજાર ચોરસ ફૂટની માતોશ્રી 2 ની મિલકત માટે રૂ. 8.8 કરોડ ચુકવવામાં આવ્યા છે. પરંતુ આ જગ્યા બીકેસીનો નજીક જ આવેલી હોવાથી અને મુંબઇના પ્રોપર્ટી માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ મિલકતની ઘોષિત કિંમત ખૂબ ઓછી છે. ચેક પેમેન્ટમાં ઓછી રકમ અને કાળાનાણાં વધુ રોકડ રકમની ચુકવણી કરવામાં આવી છે. એવો આરોપ સંજય નિરૂપમનો છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2Zdla3G  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version