કોંગ્રેસ નેતા સંજય નિરુપમ એ ફરી એક વખત મુખ્યમંત્રીને આડેહાથ લીધા. પૂછ્યો એવો સવાલ કે કોઈની પાસે જવાબ નથી. કોંગ્રેસના ધારાસભ્યો પણ મોં છુપાવે છે. જાણો વિગત….

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

04 માર્ચ 2021

ગઠબંધનના રાજકારણમાં અનેક નેતા ઉદ્ધવ ઠાકરે થી હેરાન-પરેશાન છે. હવે કોંગ્રેસના નેતા સંજય નિરુપમ એ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર આરોપ કર્યા છે.

મહારાષ્ટ્રની વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જ્યારે બાબરી મસ્જિદ પાડવામાં આવી ત્યારે ભાજપના નેતાઓ મોઢું છુપાવી રહ્યા હતા જ્યારે કે શિવસેનાને તે વાતનો ગર્વ છે.

બીજી તરફ સંજય નિરુપમ એ કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોને આડા હાથે લીધા છે. સંજય નિરૂપમ એ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ આ ડાયલોગ કયા કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ આપ્યો છે? કારણ કે ગઠબંધન ધર્મ હેઠળ આ વિષય આ રીતે આવતો નથી. આટલું જ નહીં બાબરી મસ્જિદને કારણે એમ આઇ એમ જેવા પક્ષો પેદા થયા અને કોંગ્રેસ પાર્ટી ના ધારાસભ્યો વિધાનસભામાં આ શબ્દો શી રીતે સાંભળી શક્યા? 

સંજય નિરૂપમ ના આરોપોનો કોંગ્રેસ પાર્ટીના એક પણ  ધારાસભ્ય પાસે જવાબ નથી.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More