Site icon

Sanjay Raut Defamation Case:ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતની મુશ્કેલી વધી, માનહાનિ કેસમાં કોર્ટે સંભળાવી સજા; આટલા હજારનો દંડ પણ ફટકાર્યો..

Sanjay Raut Defamation Case: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને ભાજપના નેતાની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધાએ શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આજે મઝગાંવ કોર્ટે સંજય રાઉતને આ કેસમાં માનહાનિના દાવામાં દોષી ઠેરવ્યા છે.

Sanjay Raut Defamation CaseSanjay Raut gets 15 days' jail in defamation case by BJP leader's wife

Sanjay Raut Defamation CaseSanjay Raut gets 15 days' jail in defamation case by BJP leader's wife

 News Continuous Bureau | Mumbai

Sanjay Raut Defamation Case: રાજ્યસભાના સાંસદ અને શિવસેના (UBT) નેતા સંજય રાઉતને માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાની પત્ની ડો. મેધા કિરીટ સોમૈયાની ફરિયાદ પર નોંધાયેલા કેસમાં મુંબઈના મઝગાંવમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે સંજય રાઉતને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.  

Join Our WhatsApp Community

Sanjay Raut Defamation Case: 15 દિવસની જેલની સજા

માનહાનિના આ કેસમાં સંજય રાઉતને દોષી ઠેરવવામાં આવ્યા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ 25મી કોર્ટ, મઝગાંવએ ગુરુવારે ડૉ. મેધા કિરીટ સોમૈયાની ફરિયાદ પર સુનાવણી કર્યા બાદ આજે આ ચુકાદો આપ્યો છે. કોર્ટે સંજય રાઉતને 15 દિવસની જેલ અને 25 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. સંજય રાઉતને આઈપીસી કલમ 500 હેઠળ સજા સંભળાવવામાં આવી છે.

Sanjay Raut Defamation Case: શું છે મામલો?

મીરા-ભાઈંદર શહેરમાં કુલ 154 જાહેર શૌચાલયનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાંથી 16 શૌચાલય ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના પત્ની મેધા સોમૈયાના યુવા ફાઉન્ડેશનને આપવામાં આવ્યા હતા. તેણે બનાવટી દસ્તાવેજો રજૂ કરીને મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે છેતરપિંડી કરી હતી. ઉપરાંત, સંજય રાઉતે એપ્રિલ 2022માં આરોપ લગાવ્યો હતો કે તેણે 3.5 કરોડ રૂપિયાથી વધુના ટોઇલેટ બિલ એકત્ર કર્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ સમગ્ર કૌભાંડ રૂ. 100 કરોડનું છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra polls : મહારાષ્ટ્રમા MVAમાં અસમંજસ, મુંબઈની આ 6 બેઠકો પર આમને સામને કોંગ્રેસ અને ઉદ્ધવ જૂથ…

Sanjay Raut Defamation Case: શું હતી મેધા સોમૈયાની દલીલ?

મેધાએ સેવરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ કરેલી ફરિયાદમાં કહ્યું હતું કે સંજય રાઉત દ્વારા કરવામાં આવેલા આરોપો પાયાવિહોણા અને અપમાનજનક છે. 15 એપ્રિલ, 2022 અને ત્યારબાદ રાઉતે મીડિયામાં તેમની વિરુદ્ધ દૂષિત અને અયોગ્ય નિવેદનો કર્યા હતા. આ નિવેદનો ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા દ્વારા મોટા પાયા પર સામાન્ય જનતામાં પ્રકાશિત અને પ્રસારિત કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ દૂષિત નિવેદનો તે જ દિવસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ વાંચ્યા અને સાંભળ્યા હતા.

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Silver Price Crash: સોના-ચાંદીના ભાવ ‘ધડામ’! ચાંદીના ભાવમાં ₹૧.૮૦ લાખનો જંગી ઘટાડો, જાણો સોનાનો લેટેસ્ટ રેટ.
France as India’s ‘New Russia’: શું રશિયાને રિપ્લેસ કરશે ફ્રાન્સ? મુંબઈમાં પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચેની આજની મુલાકાત કેમ છે ઐતિહાસિક; જાણો અંદરની વિગત
India-Russia-China Relations: રશિયન તેલ પર અમેરિકી પ્રતિબંધોની ભારત પર અસર, ચીન અને રશિયાની નિકટતા ભારત માટે કેમ છે જોખમની ઘંટડી?
Exit mobile version