Site icon

Ajit Pawar Plane Crash Investigation: અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું? સંજય રાઉતનો ગંભીર સવાલ – ‘કંઈક તો ગરબડ છે’

શિવસેના નેતા સંજય રાઉતે અકસ્માતને ગણાવ્યો શંકાસ્પદ, અનિલ દેશમુખે પણ તપાસની કરી માંગ; શું હવામાન સાફ હોવા છતાં વિમાન ક્રેશ થયું?

Ajit Pawar Plane Crash Investigation અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું

Ajit Pawar Plane Crash Investigation અજિત પવારનું વિમાન અચાનક કેવી રીતે પડ્યું

News Continuous Bureau | Mumbai
Ajit Pawar Plane Crash Investigation મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ રાજ્યના રાજકારણમાં આરોપ-પ્રત્યારોપનો દૌર શરૂ થયો છે. શિવસેના નેતા સંજય રાઉતે આ વિમાન અકસ્માત ને લઈને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દિલ્હીમાં બજેટ સત્ર દરમિયાન મીડિયા સાથે વાત કરતા રાઉતે આ ઘટનાને શંકાસ્પદ ગણાવી છે અને તેની તટસ્થ તપાસની માંગ કરી છે.

જસ્ટિસ લોયા કેસ સાથે કરી સરખામણી

સજય રાઉતે કહ્યું કે અજિત દાદાના પ્લેન ક્રેશ પર સવાલો ઉઠવો સ્વાભાવિક છે. તેમણે આ ઘટનાની સરખામણી ચર્ચિત ‘જસ્ટિસ લોયા’ કેસ સાથે કરતા કહ્યું કે આ અકસ્માતમાં કંઈક અજુગતું લાગે છે. રાઉતે દાવો કર્યો કે ભાજપના લોકો તેમને સિંચાઈ કૌભાંડની ફાઈલો બતાવીને ધમકાવી રહ્યા હતા, અને જ્યારે તેઓ ‘ઘર વાપસી’ (NCP વિલીનીકરણ) ની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે જ આ મોટી ઘટના બની ગઈ.

Join Our WhatsApp Community

અનિલ દેશમુખે પણ ઉઠાવ્યા ટેકનિકલ સવાલો

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ આ ઘટનાની ગંભીર તપાસની માંગ કરી છે. દેશમુખે જણાવ્યું કે, “અકસ્માત સમયે હવામાન એકદમ સાફ હતું અને વિઝિબિલિટી પણ સારી હતી. વાયરલ થયેલા વીડિયોમાં પણ બધું સ્પષ્ટ દેખાય છે, તો પછી લેન્ડિંગ પહેલા અચાનક વિમાન એક તરફ નમીને કેવી રીતે ક્રેશ થઈ ગયું?” તેમણે બ્લેક બોક્સની ઝીણવટભરી તપાસ દ્વારા સત્ય બહાર લાવવા આગ્રહ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Nirmala Sitharaman Viral Video: નિર્મલા સીતારમણને જ્યારે મધ્યમ વર્ગ વિશે પૂછાયો સવાલ… નાણામંત્રીના હાવભાવ જોઈ સોશિયલ મીડિયા પર શરૂ થઈ મીમ્સની વર્ષા

અકસ્માત કે કાવતરું?

વિપક્ષી નેતાઓનું માનવું છે કે NCP ના બંને જૂથોના વિલીનીકરણની તારીખ નક્કી થઈ ગઈ હતી ત્યારે જ આ અકસ્માત થયો તે બાબત શંકા ઉપજાવે તેવી છે. સંજય રાઉતે આડકતરી રીતે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે આ મૃત્યુ સામાન્ય નથી. હવે આ મામલે સરકાર કયા પ્રકારની તપાસના આદેશ આપે છે અને બ્લેક બોક્સના ડેટામાંથી શું બહાર આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version