Site icon

મહારાષ્ટ્રમાં રાજ્યપાલ-સીએમ વચ્ચે પત્ર દ્વારા થયેલા તું તું મૈ મૈ અંગે અમિત શાહના સ્ટેન્ડનું શિવસેનાએ કર્યું સ્વાગત..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

19 ઓક્ટોબર 2020

મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે રાજયમાં  મંદિરો ખોલવા બાબતે થયેલા વિવાદ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વલણનું શિવસેનાના સાંસદ સંજય રાઉતે સ્વાગત કર્યું છે.

અમિત શાહે ટિપ્પણી કરી હતી કે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખતી વખતે તેમના શબ્દો વધુ સારી રીતે પસંદ કરી શકયા હોત.

કોશ્યારીએ તાજેતરમાં જ ઠાકરેને રાજ્યમાં પૂજા સ્થળો ફરી શરૂ કરવા અંગે પત્ર લખ્યો હતો અને પૂછ્યું હતું કે શું શિવસેનાના પ્રમુખ "અચાનક બિનસાંપ્રદાયિક થઈ ગયા છે", રાજ્યપાલ અને મુખ્ય પ્રધાન વચ્ચેના શબ્દો ઉશ્કેરણી જનક હતાં. આ અંગે પ્રતિક્રિયા આપતાં રાઉતે કહ્યું કે અમિત શાહ દેશના ગૃહ પ્રધાન છે અને જવાબદારી, સાવધાની સાથે બોલે છે. તેમણે કહ્યું કે, રાજકીય કંઈ નથી. શાહે જે કહ્યું તે ભારતના બંધારણને અનુરૂપ હતું.

નોંધનીય છે કે રાજભવન અને રાજ્યપાલનું કાર્યાલય એક બંધારણીય સંસ્થા છે અને તે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version