Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના શિવસેનાના આ નેતાનો લેટર બોમ્બ, સરકાર પર કર્યા ગંભીર આરોપ; જાણો શું છે સમગ્ર મામલો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Channel

બુધવાર.

શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પર મહારાષ્ટ્ર સરકારને ઉથલાવી પાડવા માટે દબાણ કરવાનો ચોંકાવનારો આરોપ મુક્યો છે સંજય રાઉતે રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પત્ર લખ્યો છે.

અમે લખેલા પત્ર બાદ લગભગ તમામ મોટા નેતાઓના ફોન આવ્યા છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢના કિસ્સામાં, કેન્દ્રીય તપાસ એજન્સીનો ઉપયોગ કરીને સરકારને ઉથલાવી દેવા માટે કરવામાં આવી રહ્યો છે. મુખ્ય નેતાઓનું ગળું દબાવવા, તેમની સામે ખોટા આરોપો દાખલ કરવા, ખોટા પુરાવા ઊભા કરીને તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. આ દમન સહન કરવામાં આવશે નહીં એવું સંજય રાઉતે પત્રકાર પરિષદમાં કહ્યું છે.

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદે ચૂંટણી લડવાની જાહેરાત કરી, કહ્યું કે-તેઓ જીત્યા બાદ લોકસભામાં પહોંચશે અને કરશે આ કામ 

મહારાષ્ટ્રમાં મહાગઠબંધન સરકાર આવ્યા બાદ વિપક્ષની પીડા સમજી શકાય છે. તેઓએ રાજકીય લડાઈ લડવી જોઈએ. પરંતુ 'ક્રિમિનલ સિન્ડિકેટ' 'ED' દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં, ED અને અન્ય તપાસ એજન્સીઓ ભાજપ અથવા તેના માલિકોની ગુનાહિત સિન્ડિકેટનો ભાગ બની ગઈ છે. આજનો પત્ર ટ્રેલર નથી પણ પત્ર ફક્ત માહિતી માટે લખવામાં આવ્યો છે. ટ્રેલર આવવાનું બાકી છે.

સંજય રાઉતે EDના લોકો કેવી રીતે સિન્ડિકેટ ચલાવે છે, તેઓ કેવી રીતે નાણાકીય કૌભાંડો કરે છે અને તેઓ કેવી રીતે મની લોન્ડરિંગ અને બ્લેકમેલિંગ, ધમકીઓ, નાણાં એકત્ર કરવા, રિકવરી એજન્ટ્સમાં સામેલ છે તે અંગે ગંભીર આક્ષેપો પણ પત્રકાર પરિષદમાં કર્યા હતા.

ઠાકરે પરિવારને બદનામ કરવામાં આવી રહ્યો છે, શરદ પવાર અને તેમના પરિવારને બદનામ કરી રહ્યા છે, અમારા જેવા અગ્રણી નેતાઓને બદનામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ તપાસ તંત્ર છે. હવે તેઓ વધુ તપાસ કરશે. શું તમે મુંબઈ પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ પર છો? તેઓ સરમુખત્યારશાહી રીતે કામ કરી રહ્યા  છે. તેથી  સમગ્ર સિસ્ટમની પોલ ખોલવી પડળે એવી સંજય રાઉતે ચેતવણી પણ આપી હતી.

વડા પ્રધાન કોંગ્રેસ પર ફરી વરસ્યા તો શરદ પવારના કર્યા વખાણઃ કહ્યું શીખો તેમની પાસેથી…

ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે તેઓ અમને અનિલ દેશમુખ સાથે સેલમાં મોકલશે. પાયાદાર લોકો દાદાગીરી કરીને ખોટા આરોપ કરી રહ્યા છે. અમે  જેલમા ગયા તો સાથે તમને પણ ખેચી જઈશું કેમ કે તમારા પણ પાપો ઘણા છે. અમે શુદ્ધ છીએ. અમે તમારાથી ડરતા નથી એવું પણ  રાઉતે કહ્યું હતું

ઘણા નેતાઓ સરકારને ઉથલાવી દેવાની ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે. પરંતુ તે શક્ય ન હોવાથી અમારા જેવા નેતાઓ પર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇડી જે કાયદેસરની કાર્યવાહી કરવા માંગે છે તે તેઓએ કરવું જોઈએ. EDની ઓફિસમાં શું ચાલી રહ્યું છે?  ટૂંક સમયમાં અમે ગુનેગારોને જાહેર કરીશું એવી ચેતવણી પણ રાઉતે આપી હતી.

 

Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Byelection 2026। મહારાષ્ટ્રગુજરાત પેટાચૂંટણી બારામતીના રાજકારણમાં ગરમાવો, સુનેત્રા પવારે મતદાન પહેલા કરી ખાસ પૂજા
El Nino Effect| ખેતી માટે કટોકટીનો સમય ‘એલ નિનો’ના પડકાર અને કમોસમી વરસાદની બેવડી માર સામે સીએમ ફડણવીસે આપ્યા ખાસ નિર્દેશો
Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Exit mobile version