ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
27 નવેમ્બર 2020
રિપબ્લિક ટીવીના એન્કર અરનાબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર પોલીસે કરેલી આત્મહત્યાના પ્રકરણ કેસમાં, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે (SC) કહ્યું કે અર્ણવ ગોસ્વામીને જામીન ન આપીને મહારાષ્ટ્ર ની હાઇકોર્ટે ભૂલ કરી છે.
ન્યાયાધીશ ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટે એ જોવું જરૂરી છે કે આરોપીઓ પુરાવા સાથે ચેડા ના કરી શકે, અથવા આરોપી ભાગી શકે છે કે નહીં, અહીં વાત નાગરિકની સ્વતંત્રતાની છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અરનબને, તેની ટીવી ચેનલમાં વ્યક્ત કરેલા મંતવ્યો માટે મહારાષ્ટ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે. એવી અરનબની ફરિયાદ સામે નાગરિકની સ્વતંત્રતાની સુરક્ષા નિભાવવામાં મુંબઇ હાઇકોર્ટ નિષ્ફળ ગઈ છે.
સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અદાલતોએ સુનિશ્ચિત કરવું પડશે કે રાજ્યો, નાગરિકોને હેરાન કરવા અથવા તેમની સ્વતંત્રતાને જોખમમાં મૂકવાના સાધન તરીકે ગુનાહિત કાયદાનો ઉપયોગ ન કરે. આમ કહીને જ ગઈ 11 નવેમ્બરના રોજ, ટોચની કોર્ટે અર્ણવ ગોસ્વામીને વચગાળાના જામીન આપ્યા હતા.
