ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,29 જાન્યુઆરી 2022
શનિવાર
મહારાષ્ટ્રમાં કોરોનાના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર શાળાઓ ફરીથી ખોલી રહી છે.
મુંબઈ બાદ હવે પુણેમાં પણ સરકારે શાળાઓ ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે.
ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે ધોરણ 1 થી 8 સુધી શાળાઓ અડધો દિવસ શરૂ રહેશે. જ્યારે નવમા ધોરણથી આગળના વર્ગો માટે પૂર્ણ સમય શાળાઓ ચાલુ રહેશે.
જોકે શાળા શરૂ થાય ત્યારે પણ વિદ્યાર્થીઓને શાળાએ આવવુ ફરજિયાત નથી. આ બાબતે માતાપિતાએ જાતે નિર્ણય લેવાનો રહેશે.
શાળા-કોલેજોમાં જ 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓનું રસીકરણ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.