Site icon

સી-પ્લેનને ગ્રહણ: આ કારણસર સી-પ્લેન સેવા હવેથી અઠવાડિયામાં આટલા દિવસ બંધ રહેશે…  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

04 નવેમ્બર 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ ગુજરાતમાં સી-પ્લેન સેવા આમ તો તેમનાં જ હસ્તે થોડા દિવસો પૂર્વે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસનને વેગ આપશે તેવા હેતુ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જો કે, સી-પ્લેન સેવાને જેટલી મળવી જોઇતી હતી તેવી પ્રારંભીક સફળતા નથી મળી રહી તેવું સી-પ્લેનનાં બુકીંગ આંકડા પરથી કહી શકાય છે. ત્યારે સી-પ્લેન સેવા બંધ રહેશે તેવી વિગતો સામે આવી રહી છે.

 

પ્રાપ્ત જાણકારી અનુસાર, સી પ્લેન હવે સપ્તાહના સાતેય દિવસ નહીં પણ માત્ર પાંચ દિવસ જ ઉડાન ભરશે. એરક્રાફ્ટના મેઇન્ટેનન્સને કારણે સી પ્લેન ૪-૫ નવેમ્બરના બંધ રહેશે. બીજું એરક્રાફ્ટ આવે નહીં ત્યાં સુધી સી પ્લેન આ જ રીતે સપ્તાહમાં બે દિવસ બંધ રાખવામાં આવે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસની ઉડાન પછી બે દિવસ માટે સી-પ્લેન સેવા બંધ રાખવામાં આવશે. દર પાંચ દિવસે મેઇન્ટેનન્સ માટે બે દિવસનો બ્રેક લેવામા આવશે.

Maharashtra Election War: દેવેન્દ્ર ફડણવીસનો આદિત્ય ઠાકરે પર કટાક્ષ; રાજ ઠાકરેની નકલ અને ભાષણબાજીનો ઉલ્લેખ કરી સાધ્યું નિશાન
Ajit Pawar: ચૂંટણી પોતાની જગ્યાએ, દોસ્તી પોતાની જગ્યાએ! અજિત પવારનું મોટું નિવેદન, દેવેન્દ્ર ફડણવીસ સાથે ના સંબંધ ને લઈને કહી આવી વાત
KDMC Election 2026 Clash: ડોમ્બિવલીમાં ભાજપ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ભીષણ અથડામણ; 4 કાર્યકરો ગંભીર રીતે ઘાયલ, વિસ્તારમાં ભારે તણાવ.
Mumbai: મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી! મકર સંક્રાંતિ પહેલા મુંબઈ-ઠાણેમાં વરસાદી માહોલ, જ્યારે મરાઠવાડા ઠંડીમાં ઠર્યું; જાણો હવામાન વિભાગની આગાહી.
Exit mobile version