Site icon News Continuous Bureau | Mumbai

ભાજપ અને શિવસેનાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ યથાવત્, કેન્દ્રીય પ્રધાનના ઘરની બહાર વધારવામાં આવી સુરક્ષા; જુઓ વીડિયો  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના મુંબઈના ઘરની બહાર શિવસૈનિકોએ તોફાન કરવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ રાણેના નિવેદન બાદ શિવસેનાએ મુંબઈ, નાસિક અને પુણેમાં મોરચો ખોલ્યો છે. સાથે જ રાણેના નિવેદન પર ચાર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવવામાં આવી છે. આ સમગ્ર મામલાને જોતાં પોલીસે નારાયણ રાણેના ઘરની સુરક્ષા વધારી દીધી છે.   

ઉલ્લેખનીય છે કે જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ દાવો કર્યો હતો કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં ઠાકરે એ ભૂલી ગયા કે દેશની આઝાદીને કેટલાં વર્ષ થયાં છે. આ શરમજનક છે કે મુખ્ય પ્રધાનને એ પણ નથી ખબર કે આપણે આઝાદ થયાને કેટલાં વર્ષ થયાં છે. ભાષણ દરમિયાન તે પાછળ વળીને આ અંગે પૂછતા જ રહ્યા હતા. જો હું ત્યાં હોત તો તેમના કાન નીચે એક થપ્પડ લગાવી દેત… આ નિવેદન સામે આવતાંની સાથે જ શિવસૈનિકો વીફર્યા હતા અને ઠેરઠેર હોબાળો મચાવી દીધો હતો.

રાડો કાંઇ પત્યો નથી : શિવસેનાના આ નેતા ના ઘર પર મોડી રાત્રે થયો હુમલો. જાણો વિગત

 

Maharashtra Weather। મહારાષ્ટ્રનું બદલાતું હવામાન! કાળઝાળ ગરમી વચ્ચે IMD ની મોટી ચેતવણી, આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
Raj Thackeray Son| મુંબઈમાં ફરી ગરમાયું રાજકારણ ઓટોટેક્સી ચાલકોના આંદોલન પર અમિત ઠાકરેના તેવર થયા આકરા, આપી આ ચીમકી
Karjat Dam। કરજત નજીકના ડેમમાં ડૂબી જવાથી કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત; ફિલ્ડ ટ્રીપ દરમિયાન સર્જાયો અકસ્માત
Maharashtra Weather| સાચવજો મહારાષ્ટ્ર! આકરી ગરમી અને કમોસમી વરસાદની બેવડી માર, પ્રશાસને જાહેર કરી ગાઈડલાઈન
Exit mobile version