Site icon

શું ફરી એકવાર સંકટમોચક બનશે શરદ પવાર- ઉદ્ધવ ઠાકરે સાથે મિટિંગ પછી રાજનીતિનું એવું પતું ઉતર્યા કે એકનાથ શિંદે પણ વિચારતા થઈ ગયા- જાણો શરદ પવારના માસ્ટર પ્લાન વિશે

Uddhav Thackeray meets Sharad Pawar

મહારાષ્ટ્રમાં ગમે ત્યારે રાજકીય ભૂકંપ? ઉદ્ધવ ઠાકરેની શરદ પવાર સાથેની મુલાકાત બાદ આજે બંને મોટા નેતાઓ ફરી મુલાકાત કરશે

News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)માં ઘેરી બનેલી કટોકટી વચ્ચે શરદ પવારે(NCP chief Sharad Pawar) દિલ્હી ખાતે નિવેદન આપ્યું હતું કે હાલ શિવસેનામાં આંતરિક લડાઈ થઈ છે જેનાથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ને કોઈ નિસ્બત નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે લડાઈ ગમે તેટલી ઘેરી બને પરંતુ મહાવિકાસ આઘાડી(MVA Govt)ની સરકાર જેમની તેમ રહેશે. હવે આ દિશામાં શરદ પવારે પગલાં ઉચકવાના શરૂ કર્યા છે. શરદ પવારે ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) સાથે મિટિંગ કરીને પોતાના નિકટવર્તી નેતાઓને જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી(BJP)નો દાવ ઊંધો પાડવા માટે એકનાથ શિંદે(Eknath Shinde) ને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ તેમજ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપીને પાર્ટી સંભાળવી જોઈએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :શું આજે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે- અફવાનું બજાર ગરમ

આ માટે શરદ પવારે હિલચાલ શરૂ કરી દીધી છે અને પોતાનો સંદેશો એકનાથ શિંદે સુધી પહોંચાડી રહ્યા છે કે તેઓ પોતે સીધા ગવર્નર (governor) પાસે પહોંચી જાય અને મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ લે. આ માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી તેમને સમર્થન આપશે અને સત્તા સ્થાપનનો માર્ગ મોકળો થશે. બીજી તરફ શિવસેના પાર્ટી ના બે ટુકડા થતા બચી જશે. શરદ પવારની આ ઓફર ગમે તે નેતાને પીગળાવી દે તેવી છે. હવે જોવાનું એ રહે છે કે એકનાથ શિંદે આ સંદર્ભે શું પ્રતિભાવ આપે છે.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version