Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ જેલમાંથી થયા મુક્ત, એનસીપી સુપ્રીમો શરદ પવારની આવી પ્રથમ પ્રતિક્રિયા.. કહ્યું- ભાજપના આ દિગ્ગજોને મળીશ! 

Sharad Pawar Resigns As NCP President: From Ajit Pawar To Supriya Sule and Jayant Patil, List of Probable

શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, હવે કોણ લેશે તેમનું સ્થાન?.. આ નામો છે ચર્ચામાં..

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને લગભગ 14 મહિના બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અનિલ દેશમુખ બુધવારે જેલમાંથી બહાર આવ્યા છે. અનિલ દેશમુખના સ્વાગત માટે NCPના મોટા નેતાઓ જેલની બહાર હાજર રહ્યા હતા. વિપક્ષના નેતા અજિત પવાર, NCP નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે અનિલ દેશમુખનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવતાની સાથે જ દેશમુખે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેમને ખોટા ગુનામાં ફસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ અને સચિન વાઝે પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. દરમિયાન અનિલ દેશમુખની મુક્તિ બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે કહ્યું છે કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

Join Our WhatsApp Channel

ભાજપના ટોચના નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ઉલ્લેખ કરતાં શરદ પવારે વધુમાં કહ્યું કે, મને સંતોષ છે કે ન્યાયતંત્રએ ન્યાય આપ્યો છે. પરંતુ હું અને સંસદમાં કેટલાક વરિષ્ઠ સાથીદારો તપાસ એજન્સીઓની ગેરરીતિ વિશે માહિતી એકત્ર કર્યા પછી દેશના ગૃહ પ્રધાન અને શક્ય હોય તો વડા પ્રધાનને મળીશ. અમે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહને મળવાના છીએ જેથી અમારા સાથી સાથે થયું તેવું અન્ય કોઈ સાથે ન થાય. અમે નાણાકીય ગેરરીતિ અંગેના કાયદામાં ફેરફાર કરવા માટે કહી રહ્યા નથી. પરંતુ અમે સંસદમાં તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ

આ સમાચાર પણ વાંચો: તુનિષા શર્માના મોત બાદ ગભરાટ, FWICEના પ્રમુખે લીધો આ નિર્ણય

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version