Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ જેલમાંથી થયા મુક્ત, એનસીપી સુપ્રીમો શરદ પવારની આવી પ્રથમ પ્રતિક્રિયા.. કહ્યું- ભાજપના આ દિગ્ગજોને મળીશ! 

Sharad Pawar Resigns As NCP President: From Ajit Pawar To Supriya Sule and Jayant Patil, List of Probable

શરદ પવારે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, હવે કોણ લેશે તેમનું સ્થાન?.. આ નામો છે ચર્ચામાં..

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને લગભગ 14 મહિના બાદ જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. અનિલ દેશમુખ બુધવારે જેલમાંથી બહાર આવ્યા છે. અનિલ દેશમુખના સ્વાગત માટે NCPના મોટા નેતાઓ જેલની બહાર હાજર રહ્યા હતા. વિપક્ષના નેતા અજિત પવાર, NCP નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે અનિલ દેશમુખનું સ્વાગત કર્યું. જેલમાંથી બહાર આવતાની સાથે જ દેશમુખે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે તેમને ખોટા ગુનામાં ફસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ અને સચિન વાઝે પર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા. દરમિયાન અનિલ દેશમુખની મુક્તિ બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે પ્રતિક્રિયા આપી છે. શરદ પવારે કહ્યું છે કે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

Join Our WhatsApp Channel

ભાજપના ટોચના નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ઉલ્લેખ કરતાં શરદ પવારે વધુમાં કહ્યું કે, મને સંતોષ છે કે ન્યાયતંત્રએ ન્યાય આપ્યો છે. પરંતુ હું અને સંસદમાં કેટલાક વરિષ્ઠ સાથીદારો તપાસ એજન્સીઓની ગેરરીતિ વિશે માહિતી એકત્ર કર્યા પછી દેશના ગૃહ પ્રધાન અને શક્ય હોય તો વડા પ્રધાનને મળીશ. અમે વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહને મળવાના છીએ જેથી અમારા સાથી સાથે થયું તેવું અન્ય કોઈ સાથે ન થાય. અમે નાણાકીય ગેરરીતિ અંગેના કાયદામાં ફેરફાર કરવા માટે કહી રહ્યા નથી. પરંતુ અમે સંસદમાં તેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ

આ સમાચાર પણ વાંચો: તુનિષા શર્માના મોત બાદ ગભરાટ, FWICEના પ્રમુખે લીધો આ નિર્ણય

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version