Site icon News Continuous Bureau | Mumbai

NCP Sharad Pawar: NCPના નવા પ્રમુખ કોણ? અજિત પવાર કે સુપ્રિયા સુળે? આજે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય…

Jayant Patil, Ajit Pawar and Supriya Sule vie for 'CM's post' on posters in Maharashtra

NCP Sharad Pawar: NCPના નવા પ્રમુખ કોણ? અજિત પવાર કે સુપ્રિયા સુળે? આજે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય…

 

NCP પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે. શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ હવે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રમુખપદનું પરિણામ   5 મેના એટલે કે આજે જાહેર કરવામાં આવશે. આ માટે સવારે 11 વાગ્યે NCP પાર્ટીની બેઠક યોજાશે.

Join Our WhatsApp Channel

મંગળવાર, 2 મે, 2023 ના રોજ, NCP વડા શરદ પવારે અચાનક તેમની નિવૃત્તિની જાહેરાત કરી. આ બાબત અત્યંત અણધારી હોવાથી રાજ્યના સમગ્ર રાજકીય વર્તુળોમાંથી આ નિર્ણયની પ્રતિક્રિયા જોવા મળી.

શરદ પવારને રાજીનામું પાછું ખેંચવા માટે ઘણા નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો આક્રમક બન્યા છે. કેટલાક કાર્યકરોએ ઘરણા શરૂ કર્યા છે, જ્યારે કેટલાક અધિકારીઓ અને કાર્યકર્તાઓએ પોતાના લોહીથી શરદ પવારને પત્ર લખીને રાજીનામું પાછું ખેંચવા વિનંતી કરી છે. આ તમામ કાર્યકર્તાઓને સમજાવવા શરદ પવાર પોતે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરની બહાર આવ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમની સાથે વાતચીત કરતા કહ્યું, ‘હું તમારી લાગણીનું સન્માન કરું છું.’

દાદાને છોડીને તાઈના હાથમાં સત્તા?

શરદ પવાર પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ સંભાળશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. અજિત પવાર, સુપ્રિયા સુલે, જયંત પવાર અને પ્રફુલ પટેલના ચાર નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે બુધવાર 3જી મેની સવારથી સુપ્રિયા સુલેના નામની ચર્ચા વધુ થવા લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ચર્ચા થઈ હતી. હવે સુપ્રિયા તાઈના નામ પર મહોર લાગશે કે પછી આ પ્રમુખપદની રેસ શું નવો વળાંક લેશે તેના પર સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ટકેલું છે.

તેમજ છગન ભુજબળે રાજ્યમાં અજિત પવાર અને કેન્દ્રમાં સુપ્રિયા સુલેનું સમીકરણ રજૂ કર્યું છે. આથી તમામનું ધ્યાન આજે 5 મે શુક્રવારે મળનારી બેઠક પર છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version