Site icon News Continuous Bureau | Mumbai

NCP Sharad Pawar: NCPના નવા પ્રમુખ કોણ? અજિત પવાર કે સુપ્રિયા સુળે? આજે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય…

Jayant Patil, Ajit Pawar and Supriya Sule vie for 'CM's post' on posters in Maharashtra

NCP Sharad Pawar: NCPના નવા પ્રમુખ કોણ? અજિત પવાર કે સુપ્રિયા સુળે? આજે મળનારી બેઠકમાં લેવાશે નિર્ણય…

 

NCP પાર્ટી છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે. શરદ પવારે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ હવે પાર્ટીના અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. પ્રમુખપદનું પરિણામ   5 મેના એટલે કે આજે જાહેર કરવામાં આવશે. આ માટે સવારે 11 વાગ્યે NCP પાર્ટીની બેઠક યોજાશે.

Join Our WhatsApp Channel

મંગળવાર, 2 મે, 2023 ના રોજ, NCP વડા શરદ પવારે અચાનક તેમની નિવૃત્તિની જાહેરાત કરી. આ બાબત અત્યંત અણધારી હોવાથી રાજ્યના સમગ્ર રાજકીય વર્તુળોમાંથી આ નિર્ણયની પ્રતિક્રિયા જોવા મળી.

શરદ પવારને રાજીનામું પાછું ખેંચવા માટે ઘણા નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરો આક્રમક બન્યા છે. કેટલાક કાર્યકરોએ ઘરણા શરૂ કર્યા છે, જ્યારે કેટલાક અધિકારીઓ અને કાર્યકર્તાઓએ પોતાના લોહીથી શરદ પવારને પત્ર લખીને રાજીનામું પાછું ખેંચવા વિનંતી કરી છે. આ તમામ કાર્યકર્તાઓને સમજાવવા શરદ પવાર પોતે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરની બહાર આવ્યા અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો. તેમણે તેમની સાથે વાતચીત કરતા કહ્યું, ‘હું તમારી લાગણીનું સન્માન કરું છું.’

દાદાને છોડીને તાઈના હાથમાં સત્તા?

શરદ પવાર પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું નેતૃત્વ કોણ સંભાળશે તેની ચર્ચાઓ ચાલી રહી હતી. અજિત પવાર, સુપ્રિયા સુલે, જયંત પવાર અને પ્રફુલ પટેલના ચાર નામોની ચર્ચા ચાલી રહી હતી ત્યારે બુધવાર 3જી મેની સવારથી સુપ્રિયા સુલેના નામની ચર્ચા વધુ થવા લાગી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે શરદ પવાર અને અજિત પવાર વચ્ચે ચર્ચા થઈ હતી. હવે સુપ્રિયા તાઈના નામ પર મહોર લાગશે કે પછી આ પ્રમુખપદની રેસ શું નવો વળાંક લેશે તેના પર સમગ્ર મહારાષ્ટ્રનું ધ્યાન ટકેલું છે.

તેમજ છગન ભુજબળે રાજ્યમાં અજિત પવાર અને કેન્દ્રમાં સુપ્રિયા સુલેનું સમીકરણ રજૂ કર્યું છે. આથી તમામનું ધ્યાન આજે 5 મે શુક્રવારે મળનારી બેઠક પર છે.

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version