Site icon

લો બોલો, મહારાષ્ટ્રના આ પ્રખ્યાત મંદિરની દાનપેટીમાં લોકોએ પધરાવી દીધી 500 અને 1000ની જૂની નોટો, કરોડો રૂપિયામાં આવ્યું દાન; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 5 ફેબ્રુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર. 

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં સ્થિત પ્રખ્યાત શિરડી સાંઈ સંસ્થા હાલમાં એક વિચિત્ર પ્રકારની મુંઝવણનો સામનો કરી રહ્યું છે. સાઈબાબા મંદિરની તિજોરીમાં ચલણમાંથી રદ કરવામાં આવેલી ત્રણ કરોડની ચલણી નોટોનો ભરાવો થયો છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે નોટબંધીના પાંચથી વધારે વર્ષ વીતી ચુક્યા છે. તેમ છતાં પણ દાનપેટીઓમાં જૂની નોટો આવવાનું ચાલુ જ છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સાઈ સંસ્થાનની તિજોરીમાં રદ થયેલી પાંચસો અને હજાર રૃપિયાની નોટો મોટા પ્રમાણમાં છે. ભાવિકો તરફથી દાનપેટીમાં નાખવામાં આવતી આ રદ કરાયેલી જૂની નોટોનું કોઈ મૂલ્ય નથી. કારણકે  આ નોટનો સંગ્રહ કરવો અથવા પાસે રાખવી એ ગેરકાયદેસર છે. આથી આ જૂની નોટોને લીધે સાંઈ સંસ્થાન માટે માથાના દુખાવા રૂપ બની ગઈ છે.

લતા મંગેશકરના સ્વાસ્થ્યને લઈ મોટા સમાચાર, ફરી વેન્ટિલેટર પર શિફ્ટ કરાયાં; 28 દિવસથી આ  હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

આ અંગે સંસ્થાના સીઈઓ ભાગ્યશ્રી બનાયતે જણાવ્યું કે, જો ભક્ત હુંડીઓમાં દાન નાખે છે, તેની ગણતરી અઠવાડીયામાં એક વાર કરવામાં આવે છે. જ્યારે નોટબંધી થઈ ત્યારથી દાનપેટીમાં જૂની નોટો નાખવાનું ચલણ વધ્યું છે. આમ તો અમે નોટો જમા કરીને સાઈડમાં રાખીએ છીએ. તેને લઈને અમે સતત કેન્દ્રીય નાણામંત્રાલય, કેન્દ્રીય ગૃહમંત્રાલય અને રિઝર્વ બેન્ક સાથે સતત સંપર્કમાં છે.

નોટબંધી બાદ એટલે કે, 31 ડિસેમ્બર 2016 સુધી દાન પેટી દરરોજ ખોલવામાં આવતી અને દાનમાં ચડાવેલા રૂપિયાને બેંકોમાં જમા કરાવવામાં આવતા હતા. પરંતુ 31 ડિસેમ્બર બાદ બેંકોએ જૂની નોટો લેવાની ના પાડી દીધી. આ સંસ્થાના રૂપિયા છે અને તેને સામાન્ય લોકોની ભલાઈ માટે ઉપયોગમાં લેવામાં આવશે. ત્યારે આવા સમયે અમે ઈચ્છીએ છીએ કે, તેનું સમાધાન જલ્દી થાય.

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version