Site icon

કૃષિ કાયદા મુજબ શિરોમણી અકાલી દળ ભાજપ થી અલગ થયું. હવે તે શું કરશે? જાણો અહીં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 20 નવેમ્બર  2021 
શનિવાર.

કૃષિ કાયદાને લઈને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું હતું. કૃષિ કાયદાને લઈને ભાજપથી દૂર થઈ ગયેલું શિરોમણી અકાલી દળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કૃષિ કાયદાને પાછા ખેંચવાની જાહેરાત બાદ શું ભૂમિકા અપનાવશે તેના પર સૌ કોઈની નજર હતી.  એવા સમયે શિરોમણીએ તેઓ ભાજપ સાથે પાછું ગઠબંધન નહીં બાંધે એવી જાહેરાત કરી છે.

Join Our WhatsApp Community

તો કૃષિ કાયદાને કારણે રાજીનામું આપનારા હરસિમરતે કાયદો પાછો ખેંચવાની જાહેરાત બાદ આ પગલાને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમ જ તેમણે કહ્યું હતું કે 800 શહીદ થયેલા ખેડૂતોને યાદ કરવાનો દિવસ છે, જેમણે આ કાયદા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. 

કોંગ્રેસમાં 'એક સાંધો ત્યાં તેર તૂટે' જેવી સ્થિતિ, જમ્મુ બાદ હવે આ રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓએ કરી રાજીનામાની રજૂઆત, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલ્યો પત્ર

તો જે કાયદા માટે ભાજપ સાથે ગઠબંધન તોડવામાં આવ્યું હતું તે કાયદો પાછો ખેંચાતા ભાજપ સાથે ફરી જોડાણ કરવાની શકયતાને શિરોમણી અકાલી દળે નકારી કાઢી હતી. અકાલી દળના અધ્યક્ષ સુખબીર  બાદલે કહ્યું હતું કે  મોદી સરકાર જે કાળા કાયદા લાવી હતી તે તેમને પાછા લેવા પડયા છે. ખેડૂતો આ કાયદાને કોઈ દિવસ નહીં માને એ અમે શરૂઆતથી કહી રહ્યા હતા, જે વાત સાચી પડી છે.

Gujarat: ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો; મુખ્ય શહેરોમાં વડોદરા સૌથી ઠંડુ
Shinde Sena: BMC ચૂંટણીમાં શિંદે સેનાનો પાવર પ્લે: ૧૨૫ બેઠકોની માંગ સાથે સાથી પક્ષને ચેતવણી, એકલા લડવાની તૈયારી!
Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Exit mobile version