Site icon

કિસ મેં કિતના હૈ દમ… દાદરમાં શિવસેના ભવન સામે શિવસેના-મનસે વચ્ચે કંદીલ વૉર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય પાર્ટીઓએ મતદારોને અત્યારથી રીઝવવાનું ચાલુ કરી દીધું છે. એમાં પણ દાદરમાં આવેલા પ્રખ્યાત શિવાજી પાર્ક સાથે મરાઠી માણુસને કંઈક વધુ જ પ્રેમ છે. એથી અહીંના મતદારોને રીઝવવા માટે વર્ષોથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે-MNS) દ્વારા અહીં દીવાળીના સમયમાં કંદીલથી આખો વિસ્તાર ઝગમગાવી દેતો આવ્યો છે. જોકે હવે મુખ્ય પ્રધાનના ફંડમાંથી શિવાજી પાર્કમાં કાયમી સ્વરૂપે લાઇટ લગાવી દેવામાં આવી છે.

આખરે 27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી મુક્ત, મન્નતમાં ખુશીનો માહોલ

મનસેએ જોકે પોતાની હાર નહીં માનતા શિવાજી પાર્ક સહિત શિવસેના ભવન સહિતના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત રોશની લગાવીને આખા પરિસરને ઝગમગાવી દીધો છે. દર વર્ષે દિવાળીના સમયમાં મનસે અને શિવસેના કંદીલ લગાડવાને લઈને સામસામે થઈ જતી હોય છે. ત્યારે પાલિકાની ચૂંટણી પહેલાં લાઇટિંગને બહાને દિવાળીમાં શિવસેના અને મનસેને પોતાની તાકાત બતાવવાનો મોકો મળી ગયો છે. એથી હાલ શિવાજી પાર્કના વિસ્તારમાં શિવસેના-મનસે વચ્ચે કંદીલ વૉર જોવા મળી રહ્યુ છે. 

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version