Site icon

કિસ મેં કિતના હૈ દમ… દાદરમાં શિવસેના ભવન સામે શિવસેના-મનસે વચ્ચે કંદીલ વૉર; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ રાજકીય પાર્ટીઓએ મતદારોને અત્યારથી રીઝવવાનું ચાલુ કરી દીધું છે. એમાં પણ દાદરમાં આવેલા પ્રખ્યાત શિવાજી પાર્ક સાથે મરાઠી માણુસને કંઈક વધુ જ પ્રેમ છે. એથી અહીંના મતદારોને રીઝવવા માટે વર્ષોથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે-MNS) દ્વારા અહીં દીવાળીના સમયમાં કંદીલથી આખો વિસ્તાર ઝગમગાવી દેતો આવ્યો છે. જોકે હવે મુખ્ય પ્રધાનના ફંડમાંથી શિવાજી પાર્કમાં કાયમી સ્વરૂપે લાઇટ લગાવી દેવામાં આવી છે.

આખરે 27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી મુક્ત, મન્નતમાં ખુશીનો માહોલ

મનસેએ જોકે પોતાની હાર નહીં માનતા શિવાજી પાર્ક સહિત શિવસેના ભવન સહિતના સમગ્ર વિસ્તારમાં વિદ્યુત રોશની લગાવીને આખા પરિસરને ઝગમગાવી દીધો છે. દર વર્ષે દિવાળીના સમયમાં મનસે અને શિવસેના કંદીલ લગાડવાને લઈને સામસામે થઈ જતી હોય છે. ત્યારે પાલિકાની ચૂંટણી પહેલાં લાઇટિંગને બહાને દિવાળીમાં શિવસેના અને મનસેને પોતાની તાકાત બતાવવાનો મોકો મળી ગયો છે. એથી હાલ શિવાજી પાર્કના વિસ્તારમાં શિવસેના-મનસે વચ્ચે કંદીલ વૉર જોવા મળી રહ્યુ છે. 

Kalyan-Dombivli Politics: નગરસેવકો ગાયબ કે હાઈજેક? કલ્યાણ-ડોમ્બિવલીમાં ઉદ્ધવ જૂથના ૪ નેતાઓ લાપતા થતા મચ્યો હડકંપ; કાર્યકરોએ નોંધાવી ફરિયાદ
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદની આફત: મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાની એન્ટ્રી,જાણો હવામાન વિભાગની આગાહી
Republic Day 2026:દેશદ્રોહી પન્નુની વધુ એક નાપાક હરકત: લાલ કિલ્લા પર ધ્વજવંદન રોકવા કરી ઉશ્કેરણી; દિલ્હીમાં FIR દાખલ, એજન્સીઓ એલર્ટ.
Ladki Bahin Yojana Update: લાડકી બહેન યોજનામાં ટેકનિકલ ખામી? હવે ઘરે બેઠા થશે ઉકેલ; મંત્રી અદિતિ તટકરેએ લોન્ચ કરી ખાસ સુવિધા, જાણો વિગત.
Exit mobile version