Site icon News Continuous Bureau | Mumbai

શિવસેના પર આભ ફાટ્યું- ઉદ્ધવ ઠાકરેની મિટિંગમાં માત્ર 18 ધારાસભ્યો પહોંચ્યા- બાકીના 40 ક્યાં છે- કોઈને ખબર નથી

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર(Maharashtra MVA Govt)માં ભંગાણના સમાચાર સામે આવી રહ્યાં છે. શિવસેના(Shivsena)ના નેતા અને મંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) નારાજ જોવા મળી રહ્યાં છે. નેતા એકનાથ શિંદે સાથે સંપર્ક ન થતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP)ના વડા શરદ પવાર (Sharad Pawar)એક્ટિવ થયા છે અને મહારાષ્ટ્રમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે.આ જ ક્રમમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે(Uddhv Thackeray)એ તેમના સરકારી નિવાસસ્થાન વર્ષા ખાતે ધારાસભ્યો(MLA)ની બેઠક બોલાવી હતી, પરંતુ આ બેઠકમાં માત્ર 18 ધારાસભ્યો હાજર હતા. બેઠક પૂરી થઈ ગઈ છે અને હવે એકનાથ શિંદે શું ભૂમિકા ભજવશે તેના પર સૌનું ધ્યાન કેન્દ્રિત છે. એકનાથ શિંદે હજુ પણ નોટ રિચેબલ છે તેથી એ સ્પષ્ટ નથી રહી શક્યું કે તેમના સાથે કેટલા ધારાસભ્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં સરકાર પડી ભાંગશે?  વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અચાનક ગાયબ.. જાણો વિગત

તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેને એકનાથ શિંદેએ પ્રસ્તાવ આપ્યો હોવાનો મહારાષ્ટ્રના સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે જાણવા મળી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ એકનાથ શિંદેએ ઓફર આપી છે કે જો ઉદ્ધવ ઠાકરે ભાજપ(BJP) સાથે ગઠબંધનની સરકાર બનાવે તો અમે પાર્ટીમાં જ રહીશું. આમ એકનાથ શિંદેએ ઠાકરે સામે પાર્ટીને બચાવવા માટે છેલ્લી ઓફર આપી હોવાની માહિતી મળી રહી છે. 

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version